News Portal...

Breaking News :

અબુઝહમદના જંગલોમાં થયેલા એન્કાઉન્ટરમાં આઠ નક્સલવાદીઓ ઠાર : એક જવાન શહીદ થયો

2024-06-15 13:56:51
અબુઝહમદના જંગલોમાં થયેલા એન્કાઉન્ટરમાં આઠ નક્સલવાદીઓ ઠાર : એક જવાન શહીદ થયો


છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં નક્સલવાદીઓ સામે સુરક્ષા દળોનું મોટું ઓપરેશન ચાલી રહ્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ ,અબુઝહમદના જંગલોમાં થયેલા એન્કાઉન્ટરમાં આઠ નક્સલવાદીઓ ઠાર માર્યા છે. જ્યારે એક જવાન શહીદ થયો અને બે જવાન ઘાયલ થયા છે.


અબુઝમાદના જંગલોમાં નક્સલવાદીઓ સામે સુરક્ષા દળોની કાર્યવાહી ચાલી રહી છે. નક્સલવાદીઓની હાજર હોવાની માહિતી પર સુરક્ષા દળોએ સરહદી જિલ્લાઓ સાથે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું છે. નારાયણપુર જિલ્લાના માડમાં છેલ્લા બે દિવસથી સુરક્ષાદળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. નારાયણપુર-કોંડાગાંવ-કાંકેર-દંતેવાડા DRG, STF અને ITBP 53મી બટાલિયન દળો સંયુક્ત ઓપરેશનમાં સામેલ છે.

Reporter: News Plus

Related Post