News Portal...

Breaking News :

સિંધુ જળ સંધિ મુદ્દે બિલાવલ ભુટ્ટોનું ફરી ઉશ્કેરણીજનક નિવેદન, ભારતને પરમાણુ ધમકીનો સંકેત

2026-07-01 15:13:41
સિંધુ જળ સંધિ મુદ્દે બિલાવલ ભુટ્ટોનું ફરી ઉશ્કેરણીજનક નિવેદન, ભારતને પરમાણુ ધમકીનો સંકેત

ભારત દ્વારા સિંધુ જળ સંધિને સ્થગિત રાખવાના નિર્ણય બાદ પાકિસ્તાનમાં રાજકીય સ્તરે અસંતોષ યથાવત છે. આ દરમિયાન પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP)ના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટો ઝરદારીએ ઇસ્લામાબાદમાં આયોજિત એક આંતરરાષ્ટ્રીય પરિષદમાં ભારત સામે ફરી ઉશ્કેરણીજનક નિવેદન આપ્યું હોવાનું સામે આવ્યું છે.

સિંધુ જળ સંધિ મુદ્દે યોજાયેલી આ કોન્ફરન્સમાં પાકિસ્તાનના મંત્રીઓ, સાંસદો તેમજ આંતરરાષ્ટ્રીય કાયદા અને જળ વ્યવસ્થાપન ક્ષેત્રના નિષ્ણાતોએ ભાગ લીધો હતો. પરિષદનો મુખ્ય હેતુ ભારતના નિર્ણય વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય સમર્થન મેળવવાનો હતો.

પરિષદ દરમિયાન બિલાવલ ભુટ્ટોએ જણાવ્યું કે, "સિંધુ જળ સંધિ પાકિસ્તાન પર કોઈનો ઉપકાર નહોતો, પરંતુ ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલો આંતરરાષ્ટ્રીય કરાર છે. બંને દેશોએ આ કરારનું સન્માન કરવું જોઈએ." સાથે જ તેમણે ભારતના વલણ સામે કડક પ્રતિક્રિયા વ્યક્ત કરતાં ઉશ્કેરણીજનક ભાષાનો ઉપયોગ કર્યો હોવાના અહેવાલો સામે આવ્યા છે.


ભારતે અગાઉ સ્પષ્ટ કર્યું છે કે રાષ્ટ્રીય સુરક્ષા અને આતંકવાદ જેવા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને સિંધુ જળ સંધિ અંગે તેનું વલણ યથાવત રહેશે. બંને દેશો વચ્ચે આ મુદ્દે કૂટનીતિક તણાવ યથાવત જોવા મળી રહ્યો છે.

Reporter: admin

Related Post