News Portal...

Breaking News :

અયોધ્યા રામ મંદિરમાં દાન ચોરીના આક્ષેપો: ટ્રસ્ટ સામે SIT તપાસની ઉઠી માંગ

2026-06-13 17:15:38
અયોધ્યા રામ મંદિરમાં દાન ચોરીના આક્ષેપો: ટ્રસ્ટ સામે SIT તપાસની ઉઠી માંગ


અયોધ્યા રામ મંદિરમાં દાન ચોરીના આક્ષેપો: ટ્રસ્ટ સામે SIT તપાસની ઉઠી માંગ

ઉત્તર પ્રદેશના અયોધ્યા સ્થિત રામ મંદિરમાં ભક્તો દ્વારા આપવામાં આવતા દાનની કથિત ચોરીનો ગંભીર મામલો સામે આવ્યો છે. આ ઘટનાને લઈને હવે મોટો વિવાદ ઊભો થયો છે અને મંદિરના ટ્રસ્ટે ખુદ રાજ્ય સરકારને હસ્તક્ષેપ કરવાની અપીલ કરી છે.‘શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ’ દ્વારા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને વિનંતી કરવામાં આવી છે કે સમગ્ર મામલાની તપાસ વિશેષ તપાસ દળ (SIT) દ્વારા કરવામાં આવે.માહિતી મુજબ, રામ મંદિરમાં શ્રદ્ધાળુઓ દ્વારા આપવામાં આવતું દાન દાનપેટીઓમાં એકત્રિત થાય છે. આ જ દાનપેટીમાંથી નાણાંની કથિત ચોરીની વાત સામે આવ્યા બાદ અફવાઓ અને ચર્ચાઓનું બજાર ગરમાયું છે, જેના કારણે ભ્રમની સ્થિતિ ઊભી થઈ છે.

ટ્રસ્ટે આ મામલે મુખ્યમંત્રી સમક્ષ ત્રણ મુખ્ય માંગ મૂકી છે—

  1. સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક SIT દ્વારા નિષ્પક્ષ તપાસ થાય.
  2. તપાસ કોઈપણ દબાણ કે પક્ષપાત વગર કરવામાં આવે.
  3. દોષિત જણાય તો તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે.

ટ્રસ્ટે સ્પષ્ટ કર્યું છે કે દોષિતોને કોઈપણ સ્થિતિમાં છોડવામાં નહીં આવે અને પારદર્શક તપાસ જ જરૂરી છે.

Reporter: admin

Related Post