News Portal...

Breaking News :

જામનગર મહાનગરપાલિકાની ચાલુ ચૂંટણી દરમિયાન વોર્ડ નંબર-૩માંથી આમ આદમી પાર્ટીના ઉમેદવારનું હૃદયરોગના હુમલાને કારણે અવસાન

2026-04-27 10:47:00
જામનગર મહાનગરપાલિકાની ચાલુ ચૂંટણી દરમિયાન વોર્ડ નંબર-૩માંથી આમ આદમી પાર્ટીના ઉમેદવારનું હૃદયરોગના હુમલાને કારણે અવસાન


ખંભાળિયા : જામનગર મહાનગરપાલિકાની ચાલુ ચૂંટણી દરમિયાન એક દુઃખદ ઘટના સામે આવી છે, જેમાં વોર્ડ નંબર-૩માંથી આમ આદમી પાર્ટીના ઉમેદવારનું હૃદયરોગના હુમલાને કારણે અવસાન થયું છે.



મળતી માહિતી મુજબ, રવિવારે મતદાન પ્રક્રિયા દરમિયાન બપોરે આશરે ચાર વાગ્યાના સમયગાળા દરમિયાન ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજા પોતાના ઘરે હાજર હતા, ત્યારે તેમને અચાનક હૃદયરોગનો હુમલો આવ્યો હતો. તેમને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પર હાજર તબીબોએ તપાસ કરતાં તેમને મૃત જાહેર કર્યા હતા. આ અચાનક બનેલી ઘટનાને લઈને પરિવારમાં તેમજ રાજકીય વર્તુળોમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. આ સંદર્ભમાં જામનગરના જિલ્લા કલેક્ટર દ્વારા રાજ્યના ચૂંટણી પંચનો સંપર્ક પણ સાધવામાં આવ્યો હતો, 


અને સાંજે 6ઃ00 વાગ્યા બાદ મતદાનની પ્રક્રિયા પૂર્ણ થયા પછી આવનારી મત ગણતરીની પ્રક્રિયાઓ પણ યથાવત રહેશે તેમ જણાવ્યું હતું. ખંભાળિયા તાલુકાના કેશોદ ગામના આહિર અગ્રણી તેમજ ગ્રામ પંચાયતના સરપંચ અને વડત્રા જિલ્લા પંચાયતના ઉમેદવાર શ્રીમતી રંજનબેન કશ્યપભાઇ ડેરના સસરા અને અગ્રણી કશ્યપભાઇ આહીરના પિતા લખમણભાઇ કાળુભાઇ ડેર (ઉ.વ. 84)નું  હાર્ટ એટેકના કારણે અવસાન થતા કેશોદ ગામમાં શોકની લાગણી પ્રસરી જવા પામી છે.

Reporter: admin

Related Post