News Portal...

Breaking News :

મોહાલીમાં મોટી દુર્ઘટના: છ માળની ઈમારત ધરાશાયી 15 લોકો દટાયા હોવાની આશંકા

2024-12-22 09:40:22
મોહાલીમાં મોટી દુર્ઘટના: છ માળની ઈમારત ધરાશાયી 15 લોકો દટાયા હોવાની આશંકા


મોહાલી : પંજાબના મોહાલીમાં મોટી દુર્ઘટના સર્જાઇ છે. જેમાં છ માળની ઈમારત ધરાશાયી થઈ છે. 


આ બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર જીમ હતું. આ બિલ્ડિંગના કાટમાળ નીચે 15 લોકો દટાયા હોવાની આશંકા છે. હાલ એનડીઆરએફ અને રાહત ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. આ દુર્ઘટનાનું કારણ નજીકની બિલ્ડીંગમાં ચાલી રહેલુ ખોદકામ માનવામાં આવી રહ્યું છે જેના કારણે બિલ્ડિંગ અચાનક ધરાશાયી થઇ હતી.મોહાલીના સોહના વિસ્તારમાં બહુમાળી બિલ્ડિંગ પડી છે. પરંતુ વહીવટીતંત્રે આશંકા વ્યક્ત કરી હતી કે તેની અંદર કેટલા લોકો દટાયેલા છે. 


દુર્ઘટના સ્થળનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં જેસીબી મશીનો સ્થળ પર જોવા મળી રહ્યા છે અને કાટમાળ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ દુર્ઘટનાના લીધે આજુબાજુ ઘણી ભીડ એકત્ર થઈ હતી .બિલ્ડિંગ ધરાશાયી થવાનું ટેકનિકલ કારણ હજુ જાણી શકાયું નથી.મોહાલીના એસએસપી દીપક પારીકે કહ્યું કે, ઈમારત ધરાશાયી થવાના સમાચાર મળ્યા છે. હજુ સુધી એ જાણી શકાયું નથી કે કેટલા લોકો દટાયા છે. કારણ કે ઓપરેશન સતત ચાલુ છે. એનડીઆરએફની ટીમ, જેસીબી મશીન અને અમારી ટીમ રોકાયેલ છે. જો કોઈ અંદર ફસાયું હશે તો તેને બહાર કાઢવામાં આવશે. બિલ્ડિંગ ધરાશાયી થવાનું ટેકનિકલ કારણ હજુ જાણી શકાયું નથી.

Reporter: admin

Related Post