ઓડિશાના પૂરી ખાતે યોજાનારી ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેના વડોદરા મંડળે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મુસાફરોની વધતી ભીડને પહોંચી વળવા માટે વડોદરા-દાહોદ વચ્ચે દોડતી મેમુ ટ્રેનનો એક રેક પૂરી મોકલવામાં આવી રહ્યો છે. તેના કારણે વડોદરા-દાહોદ-વડોદરા મેમુ ટ્રેનને 7 જુલાઈથી 2 ઓગસ્ટ સુધી કુલ 26 દિવસ માટે કામચલાઉ ધોરણે સ્થગિત કરવામાં આવી છે.
રેલવે તંત્રના જણાવ્યા અનુસાર પૂરી રથયાત્રા દરમિયાન દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ ભગવાન જગન્નાથજીના દર્શન માટે ઉમટી પડતા હોય છે. આ વધારાના મુસાફરોને સરળતાથી પરિવહન સુવિધા મળી રહે તે માટે વિવિધ ઝોનમાંથી ટ્રેનો અને મેમુ રેકની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ જ આયોજનના ભાગરૂપે વડોદરા મંડળનો એક મેમુ રેક પણ પૂરી મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
Reporter: admin







