News Portal...

Breaking News :

રામ મંદિર ચઢાવા મુદ્દે રાજકીય ગરમાવો: બ્રજભૂષણ સિંહનું નિવેદન અને પૂર્વ પ્રભારીના ચોંકાવનારા દાવા

2026-06-11 17:08:34
રામ મંદિર ચઢાવા મુદ્દે રાજકીય ગરમાવો: બ્રજભૂષણ સિંહનું નિવેદન અને પૂર્વ પ્રભારીના ચોંકાવનારા દાવા


રામ મંદિર ચઢાવા મુદ્દે રાજકીય ગરમાવો: બ્રજભૂષણ સિંહનું નિવેદન અને પૂર્વ પ્રભારીના ચોંકાવનારા દાવા

અયોધ્યામાં રામ મંદિરના ચઢાવામાં ચોરીના આરોપોને લઈ ચાલી રહેલા વિવાદ વચ્ચે રાજકીય ગરમાવો વધી ગયો છે. સમાજવાદી પાર્ટી અને આમ આદમી પાર્ટીના નેતાઓ સતત આ મુદ્દે સરકાર અને ટ્રસ્ટ પર સવાલ ઉઠાવી રહ્યા છે.આ દરમિયાન ભાજપના પૂર્વ સાંસદ બ્રજભૂષણ શરણ સિંહનું નિવેદન ચર્ચાનો વિષય બન્યું છે. તેમણે કહ્યું કે “જો હું સત્ય બોલીશ તો તકલીફમાં પડી જઈશ.” સાથે જ તેમણે ઉમેર્યું કે તેઓ હાલમાં કેટલાક “મોટા લોકો” અંગે ખુલ્લેઆમ બોલી શકતા નથી અને યોગ્ય સમય આવે ત્યારે સત્ય બહાર લાવશે.તેમણે ધાર્મિક ઉલ્લેખ કરતા તુલસીદાસની ચોપાઈનો સંદર્ભ આપીને પોતાની સ્થિતિ વ્યક્ત કરી હતી, જેમાં તેમણે કહ્યું કે હાલની સ્થિતિ એવી છે જેમ જીભ દાંત વચ્ચે ફસાઈ હોય.

બીજી તરફ, રામ મંદિરના પૂર્વ લેખા પ્રભારી મહિપાલ સિંહના દાવાઓએ પણ ખળભળાટ મચાવ્યો છે. તેમણે આરોપ લગાવ્યો છે કે ચઢાવાની રકમની ગણતરી દરમિયાન ગડબડ થતી હતી અને કેટલાક મહિનાના CCTV ફૂટેજ ડિલીટ કરવામાં આવ્યા હતા.મહિપાલ સિંહે વધુમાં દાવો કર્યો કે નોટોની ગણતરી દરમિયાન બેંક અધિકારીઓ અને સંકળાયેલા કર્મચારીઓ દ્વારા ગેરરીતિ થતી હતી, જેના અંગે ફરિયાદ કર્યા બાદ તેમને તેમના પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા.આ તમામ આરોપો વચ્ચે હવે વિવાદ વધુ ઉગ્ર બન્યો છે અને વિવિધ રાજકીય પક્ષો આ મુદ્દે એકબીજા પર પ્રહારો કરી રહ્યા છે.

Reporter: admin

Related Post