News Portal...

Breaking News :

3 ભારતીયોના મોત મુદ્દે રાજકીય ઘમાસાણ, રાહુલ ગાંધીનો PM મોદી પર તીખો પ્રહાર

2026-06-12 17:05:46
3 ભારતીયોના મોત મુદ્દે રાજકીય ઘમાસાણ, રાહુલ ગાંધીનો PM મોદી પર તીખો પ્રહાર


3 ભારતીયોના મોત મુદ્દે રાજકીય ઘમાસાણ, રાહુલ ગાંધીનો PM મોદી પર તીખો પ્રહાર

ઓમાન સમુદ્રકાંઠા નજીક મધ્ય-પૂર્વ વિસ્તારમાં અમેરિકન નૌકાદળે ત્રણ કોમર્શિયલ જહાજો પર કરેલા હુમલામાં ત્રણ ભારતીય ખલાસીઓના મોત બાદ ભારતમાં રાજકીય તણાવ વધી ગયો છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આ મુદ્દે કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર તીખા પ્રહારો કર્યા છે.રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું કે, “અમેરિકાએ આંતરરાષ્ટ્રીય જળમાં ત્રણ દિવસમાં ત્રણ જહાજો પર હુમલા કર્યા, જેમાં ત્રણ ભારતીયોના મોત થયા છે અને આપણા કમપ્રોમાઇઝ્ડ પીએમ એક શબ્દ પણ બોલતા નથી.”તેમણે આગળ આક્ષેપ કર્યો કે વિદેશી શક્તિ ભારતીય નાગરિકોની હત્યા કરે ત્યારે વડાપ્રધાન ચૂપ રહે છે, પરંતુ આગામી G7 સમિટમાં તેઓ માત્ર ઔપચારિક મુલાકાતોમાં વ્યસ્ત રહેશે.કોંગ્રેસે પણ આ ઘટનાને લઈને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. પાર્ટીના મીડિયા વિભાગના વડા પવન ખેડાએ કહ્યું કે, સરકારે આ મામલે કડક રાજદ્વારી પગલાં લેવા જોઈએ અને જવાબદારી નક્કી કરવી જરૂરી છે.

અહેવાલ મુજબ હોર્મુઝ ખાડી વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોમાં અમેરિકન નૌકાદળે એક પછી એક ત્રણ જહાજો પર હુમલા કર્યા હતા, જેમાં એક હુમલામાં ત્રણ ભારતીય ક્રૂ સભ્યોના મોત થયા હતા. ભારતે આ ઘટનાનો વિરોધ નોંધાવીને મામલો સંયુક્ત રાષ્ટ્ર (UN) સુધી ઉઠાવ્યો છે.શિપિંગ મંત્રાલયના અધિકારીઓ મુજબ હોર્મુઝ વિસ્તારમાં હાલ પણ મોટી સંખ્યામાં ભારતીય ખલાસીઓ ફસાયેલા છે અને પરિસ્થિતિ તણાવપૂર્ણ છે. અંદાજે હજારો ભારતીયો આ સંકટગ્રસ્ત માર્ગ પર વિવિધ જહાજોમાં કાર્યરત છે.આ ઘટનાએ આંતરરાષ્ટ્રીય રાજનીતિ સાથે સાથે ભારતમાં પણ ગરમ રાજકીય ચર્ચા ઉભી કરી છે.

Reporter: admin

Related Post