News Portal...

Breaking News :

બેંક ખાતામાં સીધા રોકડ જમા કરાવવાના વાયદાઓ દેશના અર્થતંત્ર માટે ચિંતાનો વિષય

2026-03-07 14:25:25
બેંક ખાતામાં સીધા રોકડ જમા કરાવવાના વાયદાઓ દેશના અર્થતંત્ર માટે ચિંતાનો વિષય


મુંબઈ : ચૂંટણી સમયે મતદારોને રીઝવવા માટે રાજકીય પક્ષો દ્વારા અપાતા 'મફત ભેટ' (Freebies) અને બેંક ખાતામાં સીધા રોકડ જમા કરાવવાના વાયદાઓ હવે દેશના અર્થતંત્ર માટે ચિંતાનો વિષય બન્યા છે. 


ભારતીય સ્ટેટ બેંક (SBI) ના તાજેતરના રિપોર્ટમાં આ અંગે ગંભીર ચેતવણી આપવામાં આવી છે.SBI ના સંશોધન અહેવાલ મુજબ, ચૂંટણીલક્ષી મફત યોજનાઓ પાછળ રાજ્યોના જીએસડીપી (GSDP) ના 0.1% થી 2.7% જેટલો જંગી ખર્ચ થાય છે. આ ખર્ચ રાજ્યોની પોતાની કુલ મહેસૂલી આવકના લગભગ 5 થી 10% જેટલો હોય છે. રિપોર્ટમાં ભલામણ કરવામાં આવી છે કે આવી યોજનાઓ પરના ખર્ચની મર્યાદા GSDP ના ચોક્કસ ટકા સુધી મર્યાદિત હોવી જોઈએ, જેથી શિક્ષણ અને સ્વાસ્થ્ય જેવી જરૂરી કલ્યાણકારી યોજનાઓ ખોરવાય નહીં.માત્ર આર્થિક નિષ્ણાતો જ નહીં, પણ સુપ્રીમ કોર્ટે પણ આ 'રેવડી સંસ્કૃતિ' પર લાલ આંખ કરી ચુકી છે. 


કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, "સરકારે લોકોને મફત ભેટ કે રોકડ આપવાને બદલે રોજગારના અવસરો ઉભા કરવા જોઈએ, જેથી નાગરિકો આત્મસન્માન સાથે જીવી શકે." કોર્ટે સવાલ ઉઠાવ્યો હતો કે, શું આપણે સક્ષમ અને હાંસિયામાં ધકેલાયેલા લોકો વચ્ચે તફાવત ભૂલી રહ્યા છીએ? જો ભેદભાવ વગર દરેકને મફત આપવામાં આવે, તો તે માત્ર 'તુષ્ટિકરણની નીતિ' બની જશે જે દેશના વિકાસમાં અવરોધક છે.

Reporter: admin

Related Post