આજે વડોદરાના પ્રજાવત્સલ રાજવી શ્રીમંત મહારાજા સયાજીરાવ ગાયકવાડની જન્મજયંતિ નિમિત્તે શહેરીજનોએ ભાવપૂર્વક પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

આ પ્રસંગે ઉપસ્થિત અગ્રણીઓએ મહારાજાની દીર્ઘદ્રષ્ટિ અને વડોદરાના વિકાસમાં તેમના ફાળોને યાદ કર્યો હતો. મીડિયા સાથેની વાતચીતમાં જણાવવામાં આવ્યું કે, મહારાજાના સચોટ આયોજનને કારણે જ વડોદરાની ગણના વિશ્વના આધુનિક શહેરોમાં થતી હતી, જેની ડિઝાઈન જોવા વિદેશીઓ પણ આવતા. તેમની આ વિરાસતને જાળવી રાખી.

તેમણે આપેલા મજબૂત પાયા પર શહેરના વિકાસ કાર્યોને આગળ ધપાવવા માટેની કટિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી. સમગ્ર વડોદરાવાસીઓએ ગૌરવ સાથે મહારાજાના અતુલ્ય યોગદાનને બિરદાવ્યું હતું.



Reporter: admin







