ગાંદરબલ: વડાપ્રધાન મોદી સોમવારે સવારે 11:45 વાગ્યે જમ્મુ-કાશ્મીરના ગાંદરબલમાં Z-Morh ટનલનું ઉદ્ઘાટન કર્યું.

શ્રીનગર-લેહ હાઇવે NH-1 પર બનેલી 6.4 કિલોમીટર લાંબી ડબલ લેન ટનલ શ્રીનગરને સોનમર્ગથી જોડશે. હિમવર્ષાના કારણે આ હાઈવે 6 મહિના સુધી બંધ રહે છે. ટનલ બનવાથી લોકોને દરેક હવામાનમાં કનેક્ટિવિટી મળશે.અગાઉ શ્રીનગર-લેહ હાઇવે પર ગગનગીરથી સોનમર્ગ વચ્ચે 1 કલાકથી વધુ સમય લાગતો હતો. આ ટનલના કારણે હવે આ અંતર 15 મિનિટમાં કાપી શકાશે. આ ઉપરાંત વાહનોની સ્પીડ પણ 30 કિમી પ્રતિ કલાકથી વધીને 70 કિમી પ્રતિ કલાક થઈ જશે.
અગાઉ આ દુર્ગમ પહાડી વિસ્તારને પાર કરવામાં 3 થી 4 કલાકનો સમય લાગતો હતો. હવે માત્ર 45 મિનિટમાં આ અંતર પુરુ થશે.ટનલનું ઉદ્ઘાટન કરતા પીએમએ કહ્યું- જમ્મુ-કાશ્મીરના લદ્દાખની બીજી ઘણી જૂની માંગ આજે પૂરી થઈ છે. તમે ચોક્કસ માની શકો છો કે આ મોદી છે, જે વચન આપે છે તેને પાળે પણ છે. દરેક કામ માટે એક સમય હોય છે અને યોગ્ય કામ યોગ્ય સમયે થવાનું હોય છે.પીએમે વધુમાં કહ્યું- કાશ્મીર ભારતનો તાજ છે. હું ઈચ્છું છું કે આ તાજ વધુ સુંદર અને સમૃદ્ધ બને. આ કાર્યમાં મને અહીંના યુવાનો, વડીલો અને પુત્ર- પુત્રીઓનો સતત સહયોગ મળી રહ્યો છે.
Reporter: admin