News Portal...

Breaking News :

દરબાર ચોકડી થી અટલાદરાને જોડતા રેલ્વે ઓવર બ્રિજનું લોકાર્પણ

2025-03-06 11:53:32
દરબાર ચોકડી થી અટલાદરાને જોડતા રેલ્વે ઓવર બ્રિજનું લોકાર્પણ


વડોદરા:શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ દરબાર ચોકડી થી અટલાદરા તરફ જતો મુંબઈ અમદાવાદ બ્રોડ ગેજ રેલ્વે લાઇન બ્રિજનું મેયર ના હસ્તે લોક અર્પણ કરવામાં આવ્યું હતું.



વડોદરા મહાનગરપાલિકા દ્વારા રૂપિયા 53. 24 કરોડના ખર્ચે બનાવેલ અટલાદરા થી માંજલપુર તરફ મુંબઈ અમદાવાદ બ્રોડ ગેજ રેલ્વે લાઇન બ્રિજનું મેયરના હસ્તે લોક અર્પણ કરવામાં આવ્યું છે. આ બ્રિજ 780 મીટર જેટલો લાંબો બનાવવામાં આવ્યો જેથી વિસ્તારના નાગરિકોને બે વિસ્તારમાં સરળતા રહે અને ટ્રાફિકની સમસ્યાનો તથા ઉકેલ આવે તે માટે ગુજરાત ફાટક અભિયાન અંતર્ગત વડોદરા મહાનગરપાલિકા અને રેલવે બંનેના સંયુક્ત પાયો શોધી કરવામાં આ બ્રિજનું લોકાર્પણ કરવાનો કાર્યક્રમ આજરોજ આયોજન કરવામાં આવ્યું હતું. આ લોક લોક અર્પણ કાર્યક્રમમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા, અને નગરો સેવક સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Reporter:

Related Post