દર વર્ષે ૩૧ મે ના રોજ વિશ્વભરમાં વિશ્વ તમાકુ નિષેધ દિવસ (WNTD) ઉજવવામાં આવે છે. આ વાર્ષિક ઉજવણી લોકોને તમાકુના ઉપયોગના જોખમો, તમાકુ કંપનીઓની વ્યવસાયિક પદ્ધતિઓ, વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) તમાકુના ઉપયોગ સામે લડવા માટે શું કરી રહ્યું છે અને વિશ્વભરના લોકો તેમના સ્વાસ્થ્ય અને સ્વસ્થ જીવનના અધિકારનો દાવો કરવા અને ભાવી પેઢીઓને સુરક્ષિત રાખવા માટે શું કરી શકે છે તે વિશે માહિતી આપેછે.WHO ના સભ્ય દેશોએ ૧૯૮૭માં વિશ્વ તમાકુ નિષેધ દિવસની રચના તમાકુના રોગયાળા અને તેનાથી થતા અટકાવી શકાય તેવા મૃત્યુ અને રોગો તરફ વૈશ્વિક ધ્યાન દોરવા માટે કરી હતી. આ દિવસનો હેતુ તમાકુના ઉપયોગના વ્યાપક વ્યાપ અને નકારાત્મક સ્વાસ્થ્ય અસરોં તરફ ધ્યાન દોરવાનો છે, જેના કારણે હાલમાં વિશ્વભરમાં દર વર્ષે ૮ મિલિયનથી વધુ લોકો મૃત્યુ પામે છે, જેમાં ૧.૨ મિલિયન લોકો ધૂમ્રપાન ન કરનારાઓના બીજા હાથના ધુમ્રપાનના સંપર્કમાં આવવાના પરિણામે મૃત્યુ પામે છે. આ દિવસને વિશ્વભરમાં સરકારો, જાહેર આરોગ્ય સંસ્થાઓ, ધૂમ્રપાન કરનારાઓ, ઉત્પાદકો અને તમાકુ ઉદ્યોગ તરફથી ઉત્સાહ અને પ્રતિકાર બંનેનો સામનો કરવો પડયો છે .

૩૧મે ૨૦૨૫ "વિશ્વ તમાકુ નિષેધ દિવસ" (WNTD) આ વર્ષની ની થીમ "તમાકુ અને નિકોટિન ઉત્પાદનો પર તમાકુ ઉદ્યોગની યુક્તિઓનો ખુલાસો કરવો"
આ વર્ષના વિશ્વ તમાકુ નિષેધ દિવસ" (WNTD) અભિયાનનો ઉદ્દેશ્ય તમાકુ અને નિકોટિન ઉદ્યોગો દ્વારા ઉપયોગમાં લેવાતી વ્યૂહરચનાઓ જાહેર કરવાનો છે જેથી તેમના હાનિકારક ઉત્પાદનોને, ખાસ કરીને યુવાનોને, આકર્ષક બનાવી શકાય. આ યુક્તિઓનો પર્દાફાશ કરીને, આ અંગે જાગૃતિ લાવવા WHO (વિશ્વ આરોગ્ય સંસ્થા) મજબૂત નીતિઓની હિમાયત કરવા માંગે છે, જેમાં તમાકુ અને નિકોટિન ઉત્પાદનોને વધુ આકર્ષક બનાવતા સ્વાદો પર પ્રતિબંધનો અને જાહેર આરોગ્ય નું રક્ષણ કરવાનો સમાવેશ થાય છે.

વડોદરા જિલ્લામાં તમાકુ નિયંત્રણ માટે હાથ ધરવામા આવેલ કામગીરી :
વડોદરા જિલ્લાની આરોગ્ય શાખા દ્વારા તમાકુ નિયંત્રણ તેમજ લોકોમાં તમાકુ થી થતાં રોગોની જાણકારી માટે સેમિનાર/રેલી/પ્રતિજ્ઞા/યોગ શિબિર/રંગોળી જેવી વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવે છે. આરોગ્ય શાખા દ્વારા જિલ્લામાં COTPA-૨૦૦૩ (સિગારેટ અધર એન્ડ ટોબેકો પ્રોડોક્ટ એક્ટ) અધિનિયમની અમલવારી થાય તે હેતુથી જાહેર સ્થળો, પ્રવાસન સ્થળો વિગેરે જગ્યાએ ડ્રાઇવ કરીને જાહેરમાં વ્યસન કરતાં લોકો પાસેથી દંડ વસુલાત કરવામાં આવે છે. તેમજ શાળાઓ, કોલેજોમાં જાગૃતિ કાર્યક્રમો પણ યોજવામાં આવે છે. જેમાં વિવિધ સ્પર્ધાઓ યોજી તેઓને પી.પી.ટી. પ્રેઝન્ટેશન દ્વારા વ્યસનથી થતા નુકસાન, વ્યસન છોડવાના ઉપાયો વિશે જાગૃત કરવામાં આવે છે. શાળા કોલેજની નજીક તમાકુ ન વેંચવા અંગે પણ દુકાનદારોને જણાવવામાં આવે છે.આ સાથે જ માનનીય જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ. મીનાક્ષી ચૌહાણના માર્ગદર્શન હેઠળ તથા ડીસ્ટ્રીકટ સર્વેલન્સ ઓફિસર ડો.રાહુલસિંધ ના સંકલનમાં રહીને વિવિધ કામગીરીઓ કરવામાં આવી હતી.લોકો તમાકુ નિષેધ અંગે જાગૃત થાય તે માટે તમાકુ નિયંત્રણ માટેનો કાયદો COTPA-૨૦૦૩અધિનિયમ અમલમાં છે. આ કાયદાના ભંગ બદલ વિવિધ કલમો-૪, ૫, ૬ (અ), ૬ (બ) મુજબ દંડ પણ કરવામાં આવ્યો હતો. જેમાં વર્ષ ૨૦૨૪-૨૫ માં કાયદાની કલમ–૪ મુજબ જિલ્લામાં ૬૬૩ કેસ કરી રૂ. ૭૯,૦૭૦ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો હતો. અને કલમ–૬ મુજબ ૭ કેસ કરી રૂ.૧૧૦૦ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો હતો. આમ, જિલ્લામાં કુલ ૭૦૧ કેસમાં રૂ. ૮૩,૭૭૦ ના દંડની વસૂલાત કરવામાં આવી હતી.



Reporter: