News Portal...

Breaking News :

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ પર CJP અડગ, સરકારે નિર્ણય માટે શનિવાર સુધીનો સમય માંગ્યો

2026-07-24 16:17:04
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ પર CJP અડગ, સરકારે નિર્ણય માટે શનિવાર સુધીનો સમય માંગ્યો

કોકરોચ જનતા પાર્ટી (CJP) અને કેન્દ્ર સરકાર વચ્ચે શુક્રવારે દિલ્હીના કોન્સ્ટિટ્યુશન ક્લબ ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં સરકાર તરફથી કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા અને જિતેન્દ્ર સિંહ હાજર રહ્યા હતા, જ્યારે CJP તરફથી સૌરભ દાસ અને આશુતોષ રાંકા પ્રતિનિધિ તરીકે સામેલ થયા હતા.

બેઠક બાદ CJPના પ્રવક્તાઓએ જણાવ્યું કે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ પર કોઈ સમાધાન કરવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે સરકાર સાથેની ચર્ચામાં પ્રદર્શનકારીઓને વળતર આપવાનો અને તેમની સામે નોંધાયેલા કેસો પરત ખેંચવાનો મુદ્દો સ્વીકારવામાં આવ્યો છે.

કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડાએ જણાવ્યું કે લગભગ બે કલાક ચાલેલી બેઠકમાં CJP દ્વારા સરકાર સમક્ષ ત્રણ મુખ્ય માંગણીઓ અને પરીક્ષા પ્રણાલીમાં સુધારા માટે પાંચ સૂચનો રજૂ કરવામાં આવ્યા છે. સરકારે આ માંગણીઓ પર વિચાર કરવા માટે શનિવાર સુધીનો સમય માંગ્યો છે.

બંને પક્ષો વચ્ચે થયેલી ચર્ચા બાદ હવે સરકારના આગામી નિર્ણય પર નજર રહેશે. પરીક્ષા વ્યવસ્થામાં સુધારા અને વિદ્યાર્થીઓની માંગણીઓને લઈને આંદોલન હવે કઈ દિશામાં આગળ વધે છે તે આગામી દિવસોમાં સ્પષ્ટ થશે.

Reporter: admin

Related Post