News Portal...

Breaking News :

વસ્તી ગણતરી અભિયાન જનગણના 2027 અભિયાન : પીએમ મોદી વસ્તી ગણતરી અંતર્ગત પોતાની વિગતો નોંધાવી

2026-04-02 10:35:26
વસ્તી ગણતરી અભિયાન જનગણના 2027 અભિયાન : પીએમ મોદી વસ્તી ગણતરી અંતર્ગત પોતાની વિગતો નોંધાવી


દિલ્હી: ભારતે આજે આંકડાકીય ઇતિહાસમાં એક નવો અધ્યાય શરૂ કર્યો છે. દેશના સૌથી મોટા વસ્તી ગણતરી અભિયાન ‘જનગણના 2027’ની શરૂઆત થઈ ગઈ છે. 


આ અભિયાન માત્ર તેના વિશાળ કદને કારણે ખાસ નથી, પણ એ માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે આ ભારતની પહેલી સંપૂર્ણપણે ડિજિટલ જનગણના છે.રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ સૌપ્રથમ સ્વ-ગણના કરીને દેશને માર્ગદર્શન આપ્યું. ત્યારબાદ ઉપરાષ્ટ્રપતિ સી. પી. રાધાકૃષ્ણન, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે પણ ઓનલાઈન માધ્યમથી પોતાની વિગત નોંધાવી છે. વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર માહિતી આપી હતી કે તેમણે પોતાની સ્વ-ગણના પૂર્ણ કરી છે. 


તેમણે દેશવાસીઓને અપીલ કરી છે કે તેઓ પણ આ ડિજિટલ પ્રક્રિયામાં ભાગ લે અને પોતાના પરિવારની વિગત પોતે જ નોંધાવીને રાષ્ટ્ર નિર્માણમાં સહયોગ આપે.વર્ષો સુધી ચાલતી આવી પરંપરાગત કાગળ આધારિત પદ્ધતિને હવે જનગણના 2027માં સંપૂર્ણપણે ડિજિટલ પ્લેટફોર્મ પર લઈ જવામાં આવી છે.

Reporter: admin

Related Post