News Portal...

Breaking News :

બ્લેકબોક્સ હજુ સુધી તપાસ માટે વિદેશ મોકલવામાં આવ્યું નથી: કેન્દ્ર

2025-06-20 10:25:40
બ્લેકબોક્સ હજુ સુધી તપાસ માટે વિદેશ મોકલવામાં આવ્યું નથી: કેન્દ્ર


દિલ્હી : ગત 12 જૂને અમદાવાદમાં ક્રેશ થયેલા એર ઈન્ડિયાના વિમાનનું બ્લેકબોક્સ હજુ સુધી તપાસ માટે વિદેશ મોકલવામાં આવ્યું નથી. કેન્દ્ર સરકારે આ અંગે એક નિવેદન બહાર પાડ્યું છે.



કેન્દ્રએ ગુરુવારે જણાવ્યું હતું કે, એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) નક્કી કરશે કે વિમાનનું બ્લેકબોક્સ ક્યાં મોકલવામાં આવશે. આ નિર્ણય તમામ ટેકનિકલ, સુરક્ષા અને ગુપ્ત પાસાઓને ધ્યાનમાં રાખીને લેવામાં આવશે. હાલમાં AAIB તપાસ ચાલુ છે.આ ઉપરાંત, ગૃહ સચિવના નેતૃત્વ હેઠળ એક ઉચ્ચ સ્તરીય સમિતિ પણ અકસ્માતની તપાસ કરી રહી છે, જે ત્રણ મહિનામાં પોતાનો અહેવાલ રજૂ કરશે.કેન્દ્રએ જણાવ્યું હતું કે વિમાનમાંથી બે બ્લેકબોક્સ (CVR અને DFDR) સેટ મળી આવ્યા છે. પહેલો સેટ 13 જૂને અને બીજો 16 જૂને મળી આવ્યો હતો. આ મોડેલ બે બ્લેકબોક્સ સેટ સાથે આવે છે.


વાસ્તવમાં, લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171 12 જૂનના રોજ અમદાવાદમાં ટેકઓફ થયાના થોડા સમય પછી ક્રેશ થઈ ગઈ હતી. આ ઘટનામાં 241 લોકો માર્યા ગયા હતા, જ્યારે એક મુસાફર બચી ગયો હતો. આ ઘટનામાં કુલ 270 લોકો માર્યા ગયા હતા.ફ્લાઇટ નંબર AI-171એ 12 જૂનના રોજ બપોરે 1.38 વાગ્યે ઉડાન ભરી હતી અને અકસ્માત 1.40 વાગ્યે થયો હતો. તે સમયે વિમાન 200 ફૂટની ઊંચાઈ પર હતું. ફ્લાઇટ નંબર AI-171એ 12 જૂનના રોજ બપોરે 1.38 વાગ્યે ઉડાન ભરી હતી અને અકસ્માત 1.40 વાગ્યે થયો હતો. તે સમયે વિમાન 200 ફૂટની ઊંચાઈ પર હતું.એર ઇન્ડિયાએ કહ્યું- વિમાન સારી રીતે મેન્ટેન હતું એર ઇન્ડિયાના સીઈઓ કેમ્પબેલ વિલ્સને જણાવ્યું હતું કે, ક્રેશ થયેલ ડ્રીમલાઇનર (બોઇંગ 787-8) વિમાન સંપૂર્ણપણે ઠીક હતું. તેનું છેલ્લું મોટું ચેકિંગ જૂન 2023માં કરવામાં આવ્યું હતું અને આગામી ચેકિંગ ડિસેમ્બર 2025માં નક્કી કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે જમણા એન્જિનનું ઓવરહોલ માર્ચ 2025માં કરવામાં આવ્યું હતું.

Reporter: admin

Related Post