News Portal...

Breaking News :

બીજેપીના બક્ષીપંચ મોરચા દ્વારા એસ.એસ.સી અને એચ.એસ.સી બોર્ડની પરીક્ષામાં ઉત્તમ ગુણ મેળવનાર વિદ્ય

2024-07-20 14:51:54
બીજેપીના બક્ષીપંચ મોરચા દ્વારા એસ.એસ.સી અને એચ.એસ.સી બોર્ડની પરીક્ષામાં ઉત્તમ ગુણ મેળવનાર વિદ્ય


શહેરના પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગરગૃહ ખાતે બક્ષીપંચ મોરચા ભારતીય જનતા પાર્ટી વડોદરા દ્વારા વર્ષ 2024 માં ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષામાં ઉત્તમ ગુણ મેળવનાર ૧૫૦ વિદ્યાર્થીઓ સાથે ૪૦ ઓબીસી સમાજના અગ્રણીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા 


સાથે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા વિવિધ સરકારી લાભો વિદ્યાર્થીઓને મળી રહે તે માટે ચાલો ઉજવલ ભવિષ્ય બનાવીએ તેવી પુસ્તિકા વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓને શૈક્ષણિક માટે વિવિધ યોજનાઓની માર્ગદર્શિકા અને અભ્યાસ કરવા માટે સરકાર તરફથી આપવામાં આવતી સહાય અને લાભો મળી રહે તે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું 


બક્ષીપંચ સમાજના વિદ્યાર્થીઓ ભણી-ગણીને આગળ વધે સાથે વિદ્યાર્થીઓને આગળ અભ્યાસ માં અડચણ ઊભી ન થાય તે માટે સમાજના અગ્રણીઓ વિદ્યાર્થીઓને મદદરૂપ થાય સાથે વિદ્યાર્થીઓમાં અભ્યાસ કરવાની રુચિ બની રહે અને વિદ્યાર્થીઓ ભણી ગણીને આગળ વધે સાથે સમાજ ને પણ આગળ લઈ આવે તે હેતુથી આ કાર્યકમ નું આયોજન કરવામાં આવ્યું જેમાં બક્ષીપંચ મોરચા ના પ્રમુખ, સાથે સમાજના અગ્રણીઓ અને વિદ્યાર્થીઓ સાથે વાલીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા

Reporter: admin

Related Post