News Portal...

Breaking News :

સ્વામી ધર્મદાસ, સ્વામી ટેઉરામ ટ્રસ્ટ, વડોદરા દ્વારા તા.17 થી 22 નવેમ્બર સુધી ધાર્મિક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

2025-11-19 15:30:31
સ્વામી ધર્મદાસ, સ્વામી ટેઉરામ ટ્રસ્ટ, વડોદરા દ્વારા તા.17 થી 22 નવેમ્બર સુધી ધાર્મિક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.


સ્વામી ધર્મદાસ, સ્વામી ટેઉરામ ટ્રસ્ટ, વડોદરા દ્વારા તા.17 થી 22 નવેમ્બર સુધી ધાર્મિક યાત્રાનું આયોજન મુકેશ સાંઇના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું છે 


જેમાં હરિદ્વારમાં ગંગાજી તેમજ વૃંદાવન ધામ મથુરા દર્શન સહિતના ધાર્મિક સ્થળોએ યાત્રા યોજાશે જેના માટે તા.17-11-2025 ના રોજ શહેરના પ્રતાપનગર રેલવે સ્ટેશન ખાતેથી આ વિશેષ ટ્રેન પ્રસ્થાન થઇ હતી. જેને વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની,પ્રેમ પ્રકાશ આશ્રમના મુકેશ સાંઇ, વોર્ડ નં.6 ના મ્યુનિસિપલ કાઉન્સિલર હિરાભાઇ કંજવાણી,હેમીષા ઠક્કર, મિડિયા સેલના કન્વિનર અનિલ કોડવાણી, પ્રદીપ લેખરાજાની ઉપસ્થિતિમાં પ્રસ્થાન કરાવાઇ હતી. 


મુકેશ સાંઇ દ્વારા પ્રયાગરાજમાં  યોજાયેલા મહાકુંભ મેળામાં પણ લાખો શ્રધ્ધાળુઓ માટે કેમ્પમાં સેવાઓ પૂરી પાડવામાં આવી હતી તે જ રીતે તેમના દ્વારા છેલ્લા ઘણા સમયથી અવારનવાર વિવિધ સેવાકીય પ્રવૃત્તિ અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે ત્યારે તા.17 થી 22 નવેમ્બર દરમિયાન નીચે જણાવ્યા મુજબ કાર્યરમ રહેશે જેમાં:-

તા.17-11-2025 રાત્રે 8 કલાકે વડોદરા થી વૃંદાવન મથુરા જવા ટ્રેન પ્રસ્થાન થઇ 
તા.18-11-2025 સવારે 8 કલાકે વૃંદાવન ધામ મથુરા ખાતે આગમન, વૃંદાવન ધામ દર્શન તથા આસપાસના ધાર્મિક સ્થળો સહિતના દર્શન અને વિહાર કરાશે.
રાત્રે 10:30 કલાકે વૃંદાવન ધામ મથુરા થી હરિદ્વાર જવા પ્રસ્થાન થશે 
તા.19-11-2025 ના રોજ સવારે 8 કલાકે હરિદ્વારમાં આગમન જ્યાં ગંગાજીની આરતી સહિત ગંગાજી અને ધાર્મિક સ્ળોના દર્શન 
તા.21-11-2025 ના રોજ બપોરે 3 કલાકે હરિદ્વાર થી વડોદરા પરત આવવા ટ્રેન પ્રસ્થાન થશે.

Reporter: admin

Related Post