News Portal...

Breaking News :

વડતાલધામમાં ૧૯૫મો રણછોડરાયજી પાટોત્સવ ઉજવાયો

2025-04-21 17:55:00
વડતાલધામમાં ૧૯૫મો રણછોડરાયજી પાટોત્સવ ઉજવાયો


વડતાલમાં હજારો ભક્તોએ અભિષેક-અન્નકૂટના દર્શન કરી ધન્યતા અનુભવી. 

વડતાલ ધામ:- સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોત્તમ તીર્થધામ વડતાલ મંદિરમાં બિરાજતા રણછોડરાયજી મહારાજનો ૧૯૫મો વાર્ષિક પાટોત્સવ રવિવારે તારીખ ૨૦-એપ્રિલના રોજ ધામધૂમ પૂર્વક ઉજવાયો હતો


આ પ્રસંગે આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજે રણછોડરાયજી સહિત આદિ દેવોને અભિષેક કર્યો હતો. જેનો વહેલી સવારથી ભક્તોની ભારે ભીડ અભિષેકના દર્શન કરવા ઉમટી પડી હતી. = વડતાલ મંદિરના મુખ્ય સંત પુ નૌતમપ્રકાશદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે સદગુરુ સચ્ચિદાનંદ સ્વામીની ટેક અને ભક્તિથી પ્રસન્ન થઈ ભગવાન રણછોડરાય ગોમતીજી સાથે વડતાલ પધાર્યા હતા અને સાક્ષાત સ્વરૂપે મંદિરમાં પ્રતિષ્ઠિત થયા છે. ભગવાન તો ભક્તની ભાવનાના ભૂખ્યા છે. પોતાનો ભક્ત જ્યાં રહે છે ત્યાં જઈને ભગવાન વસે છે. = વડતાલ મંદિરમાં રણછોડરાયજીની મૂર્તિ પ્રતિષ્ઠા પ.પૂ. આચાર્ય રઘુવીરજી મહારાજના હસ્તે વિક્રમ સંવત ૧૮૮૬ના ચૈત્રવદ-૭ ના રોજ થઈ હતી. આ મૂર્તિ રાજસ્થાનના ડુંગરપુર થી લાવવામાં આવી હતી. 


રવિવારે તારીખ ૨૦-એપ્રિલના રોજ રણછોડરાય નો ૧૯૫ મો વાર્ષિક પાટોત્સવ તારાપુરના નવીનચંદ્ર કેશવલાલ ઠક્કરના યજમાનપદે યોજાયો હતો. સવારે ૫:૩૦ કલાકે મંગળા આરતી યોજાય હતી. સવારે ૬:૩૦ કલાકે રણછોડરાય સહિત સૌ દેવોનો કેસર જળ અને પંચામૃતથી આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના વરદ હસ્તે અભિષેક યોજાયો હતો. તેમની સાથે બ્રહ્મચારી હરિસ્વરૂપાનંદજી તથા મંદિરના પૂજારીઓ પણ જોડાયા હતા. આ ઉપરાંત મંદિરમાં યજમાન પરિવારના સભ્યો પણ અભિષેક વિધિમાં જોડાયા હતા. સવારે ૭:૩૦ કલાકે અભિષેકની આરતી થઈ હતી. અભિષેક વિધિ પૂર્ણ થયા બાદ મંદિરના સભામંડપમાં ૮:૩૦ કલાક થી ૧૦:૩૦ કલાક સુધી સત્સંગ સભા યોજાય હતી. જેમાં આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ વડતાલ મંદિરના ચેરમેન ડો.સંતવલ્લભદાસજી સ્વામી વતી સદગુરુ બ્રહ્મસ્વરૂપદાસજી સ્વામી સહિત બાપુ સ્વામી પુ દેવ સ્વામી -કોઠારી, પુ નારાયણચરણ - બુધેજ વડીલ સંતોએ યજમાન પરિવારને આશીર્વાદ પાઠવ્યા હતા. સવારે ૧૧:૦૦ કલાકથી સાંજના ૬-૦૦ વાગ્યા સુધી અન્નકૂટના દર્શન કરવા ભક્તો પધાર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પૂ.શ્યામવલ્લભ સ્વામી તથા સ્વયંસેવકોની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.

Reporter: admin

Related Post