News Portal...

Breaking News :

પોલીસ આ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સતત પેટ્રોલીંગ કરશે અને ગુનેગારોને દબોચશે

2025-02-23 10:18:06
પોલીસ આ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સતત પેટ્રોલીંગ કરશે અને ગુનેગારોને દબોચશે


ગુજરાતમાં કુલ ફિઝિકલ ક્રાઇમમાંથી લગભગ 25 ટકા ક્રાઇમ ચાર મહાનગરોમાં થાય છે. એવું પણ જોવા મળ્યું કે, 45 ટકા ગુના સાંજે 6 વાગ્યાથી રાત્રે 12 વાગ્યાની વચ્ચે થયા છે. 


એનાલિસિસ બાદ ડીજીપી વિકાસ સહાયે ફિઝિકલ ગુનાઓને નિયંત્રિત કરવા માટે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ ચાર મહાનગરોના 33 પોલીસ સ્ટેશનમાં 'SHASTRA’ (Sharir Sambandhi Tras Rokva Abhiyan) પ્રોજેક્ટ લાગુ કર્યો છે.. આ અભિયાનના ભાગરુપે શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે શનિવારે પાણીગેટ પોલીસ સ્ટેશનની મુલાકાત લઇને પોલીસ કર્મચારીઓને માર્ગદર્શન આપ્યું હતું. વડોદરાના 7 પોલીસ સ્ટેશન માંજલપુર, ગોરવા, ફતેગંજ, મકરપુરા, પાણીગેટ, કપુરાઈ, હરણી પોલીસ સ્ટેશન  વિસ્તારમાં સાંજ પછી સૌથી વધુ ફિઝીકલ ગુના થઇ રહ્યા છે જ્યાં સાંજે 6 વાગ્યાથી રાત્રે 12 વાગ્યાની વચ્ચે વિશેષ પોલીસ ટીમ તૈનાત કરવામાં આવશે.ગુજરાત પોલીસે ડેટા સંચાલિત પુલિસિંગ પર ભાર મૂકતાં ઈ-ગુજકૉપના ડેટાનું અધ્યયન કરી ફિઝિકલ ક્રાઇમના હૉટ સ્પૉટનું એનાલિસિસ કર્યું છે. જેમાં 4 પ્રમુખ કમિશનરેટ અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટના 33 પ્રભાવિત પોલીસ સ્ટેશનની ઓળખ કરવામાં આવી છે. જેમાં જાણ થઈ કે, સાંજે 6 વાગ્યાથી રાત્રે 12 વાગ્યાની વચ્ચે વધારે 45 ટકા શારીરિક ગુના થાય છે. જેને લઈને રાજ્યના ડીજીપી વિકાસ સહાયે વિશેષ યોજના હેઠળ 'SHASTRA'(Sharir Sambandhi Tras Rokva Abhiyan) પ્રોજેક્ટ લાગુ કર્યો છે. ગુજરાત પોલીસ દ્વારા ગત એક વર્ષમાં ગુજરાતમાં થયેલા ફિઝિકલ ક્રાઇમનું એનાલિસિસ કરવામાં આવ્યું છે. જેનાથી જાણ થાય છે કે, આખાય ગુજરાતમાં કુલ ફિઝિકલ ક્રાઇમમાંથી લગભગ 25 ટકા ક્રાઇમ ચાર મહાનગરોમાં થાય છે. એવું પણ જોવા મળ્યું છે કે, તેમાંથી 45 ટકા ગુના સાંજે 6 વાગ્યાથી રાત્રે 12 વાગ્યાની વચ્ચે થયા છે. પોલીસ રિસર્ચમાં સામે આવ્યું કે, અમદાવાદના 50 પોલીસ સ્ટેશનમાંથી 12 પોલીસ સ્ટેશનના વિસ્તારોમાં 50 ટકાથી વધારે ફિઝિકલ ગુના થાય છે. આ સિવાય સુરતના 33 પોલીસ સ્ટેશનમાંથી 9, વડોદરાના કુલ 27 પોલીસ સ્ટેશનમાંથી 7 અને રાજકોટમાં કુલ 15 પોલીસ સ્ટેશનમાંથી 5માં 50 ટકાથી વધુ ગુના થઈ રહ્યા છે.ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવેલા એનાલિસિસ બાદ ડીજીપી વિકાસ સહાયના ફિઝિકલ ગુનાઓને નિયંત્રિત કરવા માટે ચાર મહાનગરોના 33 પોલીસ સ્ટેશનમાં 'SHASTRA’ (Sharir Sambandhi Tras Rokva Abhiyan) પ્રોજેક્ટ લાગુ કર્યો છે. તેમાં 'Evening Policing' પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. 


આ યોજના હેઠળ શહેરોના સંવેદનશીલ વિસ્તારમાં સુરક્ષા વધુ મજબૂત કરવા માટે સાંજે 6 વાગ્યાથી રાત્રે 12 વાગ્યાની વચ્ચે વિશેષ પોલીસ ટીમ તૈનાત કરવામાં આવશે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટના 33 પોલીસ સ્ટેશન પર વિશેષ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવશે, જ્યાં ફિઝિકલ ગુનાનો દર ઊંચો છે. પ્રત્યેક પોલીસ સ્ટેશનને SHASTRA ટીમ સોંપવામાં આવશે. ગુજરાતના પ્રમુખ કમિશનરેટ અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટના 33 પ્રભાવિત પોલીસ સ્ટેશનની ઓળખ કરવામાં આવી છે, તેમાં અમદાવાદના ગોમતીપુર, કાગઠાપીઠ, રામોલ, દાણીલીમડા, અમરાઈવાડી, બાપુનગર, વેજલપુર, શાહીબાગ, નરોડા, સોલા હાઇકોર્ટ, ઈસનપુર, નારોલ પોલીસ સ્ટેશન સામેલ છે. વળી, સુરત શહેરના ડિંડોલી, અમરોલી, પાંડેસરા, લિંબાયત, સરથાના, કપોદરા, ભેસ્તાન, ઉતરન, પુના પોલીસ સ્ટેશન સામેલ છે. વડોદરાના માંજલપુર, ગોરવા, ફતેગંજ, મકરપુરા, પાણીગેટ, કપુરાઈ, હરણી પોલીસ સ્ટેશન સામેલ છે. રાજકોટ શહેરના બી ડિવિઝન, ગાંધીધામ 2 (યુનિવર્સિટી), આજીડેમ, થોરાલા, ભક્તિનગર પોલીસ સ્ટેશન સામેલ છે.ગુનેગારો પણ સ્માર્ટ હોય જેથી પોલીસ પણ સ્માર્ટ રીતે કામગિરી કરશે.... પોલીસ કમિશનર શસ્ત્ર પ્રોજેક્ટના ભાગરુપે એનાલીસીસ દ્વારા સૌથી વધુ ફિઝીકલ ગુના જ્યાં આચરાય છે તેવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસનું ખાસ ધ્યાન રહેશે આમ તો સમગ્ર શહેરમાં ત્વરીત કાર્યવાહી માટે પોલીસ એલર્ટ છે. સમગ્ર શહેરમાં અમારુ ફોક્સ રહેશે અને પ્રાયોરીટી પણ છે. સ્ટેટેટીક્સના આધારે કેટલાક પોલીસ સ્ટેશનમાં વિશેષ કાર્યવાહી કરાશે જેમાં ફૂટ પેટ્રોલીંગ ,બાઇક પેટ્રોલીંગ, જીપ પેટ્રોલીંગ કરાશે અને પોલીસ એલર્ટ રહેશે. ગુનેગારોને પકડવા જુદા જુદા વિસ્તારો અને સોસાયટીઓમાં પોલીસ હાજર રહેશે અને પેટ્રોલીંગ કરશે. ગુનેગારો પણ સ્માર્ટ હોય છે જેથી પોલીસ પણ સ્માર્ટ રીતે કામગિરી કરી ગુનેગારોને નિયંત્રણમાં લાવશે.  નરસિમ્હા કોમાર , પોલીસ કમિશનર, વડોદરા

Reporter: admin

Related Post