News Portal...

Breaking News :

રાજકોટમાં છેડતીની શંકાએ બે સગા ભાઈઓને છરીથી રહેંસી નાખી બે પરપ્રાંતીય શખ્સો ફરાર : એકનું ઘટનાસ્

2025-02-11 17:13:56
રાજકોટમાં છેડતીની શંકાએ બે સગા ભાઈઓને છરીથી રહેંસી નાખી બે પરપ્રાંતીય શખ્સો  ફરાર : એકનું ઘટનાસ્


રાજકોટ:  સોમવાર10 ફેબ્રુઆરીની રાત્રિએ ડબલ મર્ડરની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી હતી. આર્યનગરમાં એક જ મકાનમાં બે પરપ્રાંતીય શખ્સોએ છેડતીની શંકાએ બે સગાભાઇઓને આડેધડ છરીના ઘા ઝીંકી રહેંસી નાખ્યા હતા. જેમાં નાના ભાઈનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે મોટાભાઈને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો. 


જો કે, ટૂંકી સારવાર બાદ તેનું પણ મૃત્યુ નીપજતાં બનાવ બેવડી હત્યામાં પલટાયો હતો. પોલીસે મૃતક યુવકની પત્નીની ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે.ઉપરાછાપરી છરીના ઘા ઝીંકી દીધા શહેરના સંત કબીર રોડ ઉપર રહેતા પરપ્રાંતીય અમિત જૈન અને વિક્કી જૈન નામના બંને ભાઈઓ પર સોમવારની રાત્રે તેમની સાથે એક જ ઘરમાં નીચેના માળે રહેતા શખ્સો દ્વારા છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં બન્ને યુવાનને પેટ અને શરીરના અન્ય ભાગો ઉપર છરીના ઘા મારવામાં આવ્યા હતા. જેને કારણે એક ભાઈ તો લોહીલુહાણ હાલતમાં ત્યાં જ ઢળી પડ્યો હતો તો અન્ય ભાઈને ગંભીર હાલતમાં 108માં હોસ્પિટલ લઈ જવાયો હતો. જોકે સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન બીજા ભાઈનું પણ મૃત્યુ નીપજ્યું હતું.ઘટનાની જાણ થતાં ક્રાઇમ બ્રાંચના પીઆઇ ગોંડલિયા અને પીઆઇ ડામોર સહિતની ટીમ સ્થળ પર પહોંચી હતી, પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, મધ્યપ્રદેશના ઉજ્જૈનના વતની રાજુભાઇ જૈન અને તેનો પરિવાર રાજકોટમાં આર્યનગરમાં રહે છે અને ચાંદીના દાગીના બનાવવાનું કામ કરે છે. 


પરિવાર જે મકાનમાં રહે છે તે મકાનના જ નીચેના ભાગે હત્યારા છોટુ શંકર ગુપ્તા અને વિજય ગુપ્તા પણ રહે છે, જૈન બંધુ કેટલાક સમયથી છોટુ શંકરની પત્નીની છેડતી કરે છે તેવી છોટુ શંકરને શંકા હતી. આ બાબતે સોમવારની રાત્રે ફરીથી માથાકૂટ થતાં અમિત અને વિકી જૈનને છરીના ઘા ઝીંકી દઈ મોતને ઘાટ ઉતારી દીધા હતા.શહેરના સંત કબીર રોડ નજીકના આર્યનગર 6માં ભાડાના મકાનમાં રહેતા બે પરિવાર વચ્ચે સોમવારે રાત્રિના દસેક વાગ્યે બબાલ થઇ ગઇ હતી, છોટુશંકર ગુપ્તા અને વિજય ગુપ્તા નામના શખ્સોએ અમિત રાજુભાઇ જૈન (ઉ.વ.29) અને તેના નાનાભાઇ વિકી રાજુભાઇ જૈન (ઉ.વ.25)ને છરીના ઘા ઝીંકી દીધા હતા, છરીના આડેધડ ઘા ઝીંકાતા બંને ભાઇઓ લોહિયાળ હાલતમાં ઘર નજીક રસ્તા પર આવીને પટકાયા હતા અને ઘટનાને પગલે વિસ્તારના લોકો એકઠા થઇ ગયા હતા.મૃતકની પત્નીએ પોલીસ ફરિયાદ નોંધાવી જાગૃત નાગરિકે તાત્કાલિક 108ને જાણ કરતા 108ની ટીમ સ્થળ પર પહોંચી હતી અને અમિત તથા વિકીને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જેમાં વિકી જૈનનું મોત નીપજ્યું હતું, જ્યારે અમિતને તાત્કાલિક ઓપરેશન થિયેટરમાં ખસેડવામાં આવ્યો હતો, જો કે, મેડિકલ ટીમની સારવાર કારગત નીવડી ન હતી અને તેનું પણ મૃત્યુ નીપજ્યું હતું. પોલીસે મૃતક અમિત જૈનનાં પત્ની અમીનાબેનની બી-ડિવિઝન પોલીસમાં નોંધાવેલી ફરિયાદ પરથી તપાસ શરૂ કરી હતી. બન્ને દીપકભાઈના મકાનમાં ભાડે રહેતા હતા.

Reporter: admin

Related Post