મુંબઈ : સારા અલી ખાન ભગવાનમાં ઊંડી શ્રદ્ધા ધરાવે છે. તે ઘણીવાર કેટલાક મંદિરોમાં જોવા મળે છે. હવે અભિનેત્રી કામાખ્યા દેવીના દર્શન કરવા ગુવાહાટી પહોંચી છે.

સારાએ તેના ઈન્સ્ટાગ્રામ પર દેવી પૂજાની કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં અભિનેત્રી સફેદ શૂટ, માથા પર દુપટ્ટો અને કપાળ પર સિંદૂર લગાવેલી જોવા મળી રહી છે. સારા બ્રહ્મપુત્રા નદીના કિનારે આધ્યાત્મિકતામાં ડૂબેલી છે. નવરાત્રીમાં સારા અલી ખાન માતાજીના દર્શન માટે આવી પહોંચી છે. આવી સ્થિતિમાં સોશિયલ મીડિયા યુઝર્સ તેમના પર દેવીની કૃપા રાખવાની વાત કરી રહ્યા છે. કેટલાક યુઝર્સે તેને ટ્રોલ કરી છે.
સારા અલી ખાન માતાજીના દર્શન કરવા આસામના ગુવાહાટીમાં કામાખ્યા મંદિર પહોંચી છે. તેની આધ્યાત્મિક યાત્રાના વખાણ કરતા સોશિયલ મીડિયા યુઝર્સે તેની તસવીરો પર લખ્યું છે, 'જય માતા દી, તમને માતા રાનીના આશીર્વાદ મળશે', અન્ય એક યુઝરે લખ્યું, 'મુસ્લિમ હોવાના કારણે તેણે આવું ન કરવું જોઈએ. હું દરેક ધર્મનું સન્માન કરું છું. પરંતુ આ બધું એક મુસ્લિમ માટે પાપ છે. અલ્લાહને તે પસંદ નથી. તમારે અલ્લાહને ખુશ કરવાના છે, લોકોને નહીં', અન્ય એક યુઝરે લખ્યું, 'તમે કોઈ ઈસ્લામિક સેલિબ્રેશનની તસવીરો કેમ શેર નથી કરતા', એક યુઝરે તો એક્ટ્રેસને તેનું નામ બદલવાની સલાહ પણ આપી હતી. યુઝરે લખ્યું, 'આખું નામ બદલીને સીતા કરી દો, તે યોગ્ય રહેશે'.
Reporter: admin