મોસ્કો. રશિયાએ ભારત સાથે સીધા રેલ સંપર્કની શક્યતાઓ ચકાસવાનો પ્રસ્તાવ મૂક્યો છે. રશિયાના ઉપપ્રધાનમંત્રી મારાત ખુસ્નુલિને મોસ્કોથી હિંદ મહાસાગર સુધી સીધો રેલ સંપર્ક વિકસાવવાના વિકલ્પ પર વિચાર કરવાની વાત કરી છે.
રશિયાના આ પ્રસ્તાવનો મુખ્ય ઉદ્દેશ્ય બોસ્ફોરસ અને હોર્મુઝ જળમાર્ગ જેવા વ્યૂહાત્મક દરિયાઈ માર્ગો પરની નિર્ભરતા ઘટાડવાનો અને રશિયા-ભારત વચ્ચેના વેપાર માટે વૈકલ્પિક પરિવહન માર્ગ વિકસાવવાનો છે. પ્રસ્તાવિત રેલ કોરિડોર મધ્ય એશિયા અને દક્ષિણ એશિયાના માર્ગે ભારત સુધી પહોંચી શકે છે.
રશિયન પક્ષનું માનવું છે કે આવા વૈકલ્પિક પરિવહન માર્ગથી બંને દેશો વચ્ચે વેપાર અને માલ પરિવહનને વેગ મળી શકે છે. જોકે, હાલ આ માત્ર પ્રસ્તાવ અને સંભવિત પ્રોજેક્ટ અંગે વિચારણાના તબક્કે છે. રશિયાથી ભારત સુધીની કોઈ સીધી રેલવે લાઇનને હજુ મંજૂરી મળી નથી કે તેનું બાંધકામ શરૂ થયું નથી.
આ પ્રોજેક્ટને સાકાર કરવા માટે મધ્ય એશિયા અને દક્ષિણ એશિયાના અનેક દેશોના સહયોગ ઉપરાંત મોટા પાયે માળખાકીય રોકાણની જરૂર પડશે.
Reporter: admin







