રાજકોટ: પાટીદાર અગ્રણી જયંતિ સરધારા પર હુમલો થવાની ઘટના બની છે. જૂનાગઢના પીઆઇ સંજય પાદરીયાએ હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે.
રાજકોટના કણકોટ-મવડી રોડ પર આવેલ શ્યામ પાર્ટી પ્લોટમાં આ બનાવ બન્યો હતો. જેમાં ખોડલધામ અને સરદારધામ વચ્ચે વેરઝેર છે, શા માટે ઉપપ્રમુખ બન્યો કહી હુમલો કર્યો હોવાની ચર્ચા પાટીદારોમાં વાયુવેગે ફેલાઈ છે. જયંતી સરધારા સરદારધામમાં ઉપપ્રમુખ છે. ત્યારે જયંતિ સરધારાને ગિરિરાજ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટ ખોડલધામ અને સરદારધામનો વિવાદ રક્તરંજિત બન્યો છે. પૂર્વ કોર્પોરેટર ભાજપ અગ્રણી જયંતિ સરધારા પર હુમલાની ઘટના સામે આવી છે.
રાજકોટના મવડી કણકોટ રોડ પર પાર્ટી પ્લોટમાં હુમલાની ઘટના બની હતી. જેમાં ખોડલધામ સાથે સંકળાયેલ પી.આઇ. સંજય પાદરીયા દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ જયંતી સરધારાએ કર્યો છે. જયંતિ સરધારા સરદારધામના ઉપપ્રમુખ બનતા જૂનાગઢ ટ્રેનિંગ સેન્ટરના PI એ માર માર્યો હોવાનું તેમણે જણાવ્યું. આ બાદ જયંતિ સરધારાને લોહિયાણ હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
Reporter: admin