News Portal...

Breaking News :

જબલપુરમાં મોટી દુર્ઘટના: 30 પર્યટકો લઈ જતું ક્રૂઝ બરગી ડેમમાં ડૂબ્યું, અત્યાર સુધીમાં 6ના મૃતદેહ મળ્યા

2026-05-01 10:23:47
જબલપુરમાં મોટી દુર્ઘટના: 30 પર્યટકો લઈ જતું ક્રૂઝ બરગી ડેમમાં ડૂબ્યું, અત્યાર સુધીમાં 6ના મૃતદેહ મળ્યા


જબલપુર: મધ્યપ્રદેશના જબલપુરના પ્રસિદ્ધ પર્યટન સ્થળ બરગી ડેમમાં ગુરુવારે સાંજે એક મોટી દુર્ઘટના બની છે. 


નર્મદા નદીના બેકવોટરમાં પ્રવાસીઓને લઈ જતી એક ક્રૂઝ અચાનક ડૂબી જતાં વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ છે. અત્યાર સુધીમાં 15 લોકોને બચાવી લેવાયા છે, જ્યારે 6ના મૃતદેહ મળી આવ્યા છે. પ્રાથમિક જાણકારી મુજબ, અચાનક આવેલા તોફાન અને ભારે પવનને કારણે ક્રૂઝનું સંતુલન બગડ્યું હતું અને તે પાણીમાં ડૂબી ગઈ હતી. દુર્ઘટના સમયે ક્રૂઝ પર અંદાજે 35થી 40 પ્રવાસીઓ સવાર હતા. ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકો અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. 



NDRF અને SDRFની ટીમોએ તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું હતું, જેમાં અત્યાર સુધીમાં 15થી વધુ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. જોકે, હજુ પણ ઘણા પ્રવાસીઓ લાપતા હોવાનું જાણવા મળી રહ્યું છે.

Reporter: admin

Related Post