News Portal...

Breaking News :

દેવમુરારીની જેમ કોર્પોરેશનમાં કેટલાએ જાતિનાં બોગસ પ્રમાણપત્રો બનાવ્યા હશે ? શહેરી વિકાસ વિભાગે એક ટીમ બનાવી ઝીણવટભરી તપાસ કરાવડાવી જોઈએ

2025-06-07 09:32:40
દેવમુરારીની જેમ કોર્પોરેશનમાં કેટલાએ જાતિનાં બોગસ પ્રમાણપત્રો બનાવ્યા હશે ? શહેરી વિકાસ વિભાગે એક ટીમ બનાવી ઝીણવટભરી તપાસ કરાવડાવી જોઈએ


ટૂંક સમયમાં નિવૃત્ત થનાર અધિકારીઓની તપાસ અટકાવવા પાછળ કયો નેતા વિશેષ રસ લઈ રહ્યો છે ?..
આવા ગફલાનાં કિસ્સામાં  કોર્પોરેટરો,ધારાસભ્યો,સાંસદ હોદ્દેદારો, સંગઠનના હોદ્દેદારો કેમ ચૂપ છે?..



દેવમુરારીની જ્યાં સુધી તપાસ પૂરી ના થાય ત્યાં સુધી તાત્કાલિક અસરથી તેમને ડે.ટીડીઓ પદેથી રજા ઉપર ઉતારી દેવા જોઈએ, અથવા અન્ય જગ્યાએ પોસ્ટિંગ આપવું જોઈએ
વડોદરા કોર્પોરેશનમાં ફરજ બજાવતા ડે. એક્ઝિ. ઇજનેર દિનેશ રામરતનદાસ દેવમુરારીએ અનુસુચિત જનજાતિનું ખોટુ પ્રમાણપત્ર દ્વારા નોકરી મેળવી હોવાનું અને બઢતી મેળવી હોવાની ફરિયાદ મ્યુનિ.કમિશનર, સરકારના શહેરી વિકાસ વિભાગ સમક્ષ કરવામાં આવી છે. આ ફરિયાદ કોર્પોરેશનના એક કર્મચારી સંજય ગોવિંદયા દ્વારા જ રવામાં આવી છે. મ્યુનિ.કમિશનરે સામાન્ય વહિવટ વિભાગને આ મામલે તપાસ કરવાના આદેશ આપ્યા છે. ત્યારે સવાલ એ થાય છે કે દેવમુરારીની જેમ જ કોર્પોરેશનમાં એવા કેટલા કર્મચારીઓ અને અધિકારીઓ છે જેમણે ખોટા જાતિ પ્રમાણપત્રના આધારે નોકરી મેળવી લીધેલી છે અને ત્યારબાદ બઢતી પણ લીધેલી છે. કમિશનરે આ મામલાને ગંભીરતાથી લેવી જરુરી છે. કમિશનર સામાન્ય વહિવટ વિભાગ પાસે આ મામલે નિષ્પક્ષ તપાસ કરાવે તો ચોંકાવનારી માહિતી બહાર આવી શકે છે. ઉલ્લેખનિય છે કે તાજેતરમાં મ્યુનિ.કમિશનર સમક્ષ મેઇલ દ્વારા સંજય ગોવિંદયા દ્વારા જે ફરિયાદ કરાઇ છે તે મુજબ કે અમે આપનું ધ્યાન વડોદરા મહાનગરપાલિકાના સામાન્ય વહિવટ વિભાગ દ્વારા કરવામાં આવેલ ગંભીર ગેરરતીઓ અંગે ગેરકાયદેસર કૃત્યો તરફ ખેંચવા માંગીએ છીએ વડોદરા મહાનગરપાલિકાના સામાન્ય વહિવટ વિભાગના પરિપત્ર અંક 33/21-22, તા . 28-01-2022  મુજબ ડે. એન્જિનીયરની 1 જગ્યા અનુસૂચિત જનજાતિ (એસટી) અને 4 જગ્યા સામાન્ય જાતિ માટે આંતરીક ભરતી દ્વારા ભરવા માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવાઇ હતી તે અન્વયે હુકમ 304/21-22, તા . 22-02- 2022 મુજબ દિનેશ રામરતનદાસ દેવમુરારીને અનુસૂચિત જનજાતિની જગ્યા પર નિમણૂક આપવામાં આવી છે. જો કે તેઓ સામાજીક અને શૈક્ષણક રીતે પછાત વર્ગ ની યાદી ક્રમ નંબર 7 મુંજબ વૈરાગી બાવા જાતિના છે જે અનુસૂચિત જનજાતિની શ્રેણીમાં આવતી નથી જેથી તેમની નિમણૂક સ્પષ્ટપણે ગેરકાયદેસર છે. સરકારના સામાન્ય વહિવટ વિભાગના ઠરાવ ક્રમાંક સી આરઆર-102018-461239-ગ.2, તા . 22-10-2018 જબ મુજબ અનુસૂચિત જનજાતિના ઉમેદવારોના પ્રમાણપત્રોની ખરાઇ કરવા માટે સ્પષ્ટ કાર્યપદ્ધતિ નિર્ધારીત છે છતાં વડોદરા મહાનગરપાલિકાના સામાન્ય વહિવટ વિભાગના જવાબદાર અધિકારીઓએ આ નિયમોનું પાલન જ કર્યું નથી અને દેવમુરારી દ્વારા રજુ કરાયેલા પ્રમાણપત્રોની ખરાઇ કરવામાં નિષ્ફળ રહ્યા છે. આ ઘોર બેદરકારી અને સત્તાનો દુરપયોગ ભારતીય ન્યાય સંહિતાની કલમ 221 મુજબ ગુનો ગણાય છે. તેમણે આ બાબતે શહેરી વિકાસ વિભાગમાં પણ ફરિયાદ કરી હતી.



ગુજરાતમાં આવા બનાવો બહાર આવેલા છે...
રાજ્યમાં જાતિના બોગસ પ્રમાણપત્રના આધારે નોકરી મેળવવાનું મોટુ કૌભાંડ ચાલી રહ્યું છે. તાજેતરમાં સુરત પોલીસના એક એસીપી પણ આ મામલામાં સંડોવાયા હતા અને તેમને ગૃહ વિભાગ દ્વારા સસ્પેન્ડ કરાયેલા છે તો ગાંધીનગર ખાતે પણમહિલા અધિકારી એ બોગસ પ્રમાણપત્ર બનાવાવ્યું હોવાનું બહાર આવ્યું હતું. ગુજરાતમાં આવા ઘણા કિસ્સા અવાર નવાર બહાર આવતા રહે છે ત્યારે કમિશનરે પણ દેવમુરારી સામે થયેલી ફરિયાદની ગંભીરતાથી તપાસ કરીને આ પ્રકારે નોકરી મેળવનારા કર્મચારીઓની સામે પણ તપાસ કરવી જરુરી બની જાય છે.


Reporter:

Related Post