News Portal...

Breaking News :

પાવાગઢ જૈન તીર્થ ખાતે ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાનની ધજાની સાલગીરીનો કાર્યક્રમ યોજાયો

2024-12-10 16:28:47
પાવાગઢ જૈન તીર્થ ખાતે ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાનની ધજાની સાલગીરીનો કાર્યક્રમ યોજાયો


જૈનો માં દેરાસર ની ધજા ફરકાવવાના કાર્યને પુણ્યાનુબંધી પુન્ય ગણવામાં આવે છે આજે માગશર સુદ દસમ‌ના દિવસે મુંબઈ નિવાસી ત્રિલોકચંદજી વર્દીચંદજી પરીવાર દ્વારા ધજાની સાલગીરીનો કાર્યક્રમ યોજાયો હતો. 


આ અંગે માહિતી આપતા જાણિતા જૈન અગ્રણી તથા પાવાગઢ તીર્થ ના મહામંત્રી દીપક શાહે જણાવ્યું હતું કે દેશ ની નદીઓ ના પવિત્ર જળ તથા વિશેષ ઔષધીઓ લાવી ને વિશિષ્ટ અભિષેક કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ માટે વલ્લભસુરી સમુદાયના ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંધરસુરી મહારાજ ના આજ્ઞાનુંવર્તી ઉપાધ્યાય અનંતચંદ્ર વિજયજી તથા અરિહંત વિજયજી ઉગ્ર વિહાર કરી પાવાગઢ તીર્થ માં પહોચ્યા હતા એમ પ્રવર્તક વિનોદ વિજયજી મહારાજ તથા સેવાભાવી પુર્ણચંદ્ર મહારાજે જણાવ્યું હતું. 


સંગિતકાર અશોક પંડિત ખાસ મંડળી સાથે જીવનપુરા થી પધાર્યા હતા.દરમિયાનમાં પાવાગઢ તીર્થ ના ભરતભાઈ જૈને જણાવ્યું હતું કે ૧૮ અભિષેક તથા ૧૭ ભેદી પુજા ના અંતે શાંતિ કળશ નું વિધિ વિધાન કરવામાં આવ્યું હતું.અને ૧૮ અભિષેક માં ઉપાધ્યાય અનંતચંદ્ર વિજયજી, વિનોદ વિજયજી તથા પુર્ણ ચંદ્ર વિજયજી મહારાજે વિશિષ્ટ મુદ્રા ના દર્શન પ્રભુજી ને કરાવ્યા હતા.તથા ધજા ને સુગંધિત વાસક્ષેપ સાધ્વી સુમંગલાજી મહારાજની પ્રશિષ્યા પુરણકલાજી સોમયકલા, કુમુદકલા તથા કાવ્યકલાજી મહારાજો એ કર્યો હતો અને પછી અષ્ટપ્રકારી પૂજા કરી ધજા ચઢાવવામાં આવી હતી એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું

Reporter: admin

Related Post