News Portal...

Breaking News :

સીએમ યોગી: 1526માં સંભલમાં ભગવાન વિષ્ણુનું મંદિર તોડી પડાયું હતું

2025-03-13 11:28:23
સીએમ યોગી: 1526માં સંભલમાં ભગવાન વિષ્ણુનું મંદિર તોડી પડાયું હતું


લખનૌ : મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બુધવારે કહ્યું હતું કે, ઇસ્લામ પહેલાના ગ્રંથોમાં સંભલનો ઉલ્લેખ જોવા છે. 1526 માં સંભલ ખાતે આવેલ હરિ વિષ્ણુ મંદિર તોડી પાડવામાં આવ્યું હતું. 


5000 વર્ષ જૂના ગ્રંથોમાં સંભલનો ઉલ્લેખ જોવા મળે છે. તેઓ ભગવાન વિષ્ણુના ભાવિ અવતારનો ઉલ્લેખ છે. બીજી બાજુ, ઇસ્લામનો ઉદય ફક્ત 1,400 વર્ષ પહેલાં થયો હતો. હું એવી વાત કરી રહ્યો છું જે ઇસ્લામ કરતાં ઓછામાં ઓછા 2,000 વર્ષ જૂની છે. આ બાબતોના પુરાવા સદીઓથી અસ્તિત્વમાં છે.સીએમ યોગીએ કહ્યું કે, 1526માં સંભલમાં ભગવાન વિષ્ણુનું મંદિર તોડી પાડવામાં આવ્યું હતું, અને બે વર્ષ પછી 1528માં અયોધ્યામાં રામ મંદિર પણ તોડી પાડવામાં આવ્યું હતું. 


લખનૌમાં આરએસએસ સાથે જોડાયેલ સાપ્તાહિક મેગેઝિન 'ઓર્ગેનાઇઝર' દ્વારા આયોજિત 'મંથન: કુંભ એન્ડ બિયોન્ડ' કાર્યક્રમમાં બોલતા તેમણે કહ્યું કે, બંને કૃત્યો એક જ વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યા હતા.આદિત્યનાથે કહ્યું કે, દુનિયાના દરેક ધર્મ અને પૂજા પદ્ધતિમાં કેટલાક સારા ગુણો હોય છે. મુખ્યમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, બળજબરીથી કોઈનો વિશ્વાસ છીનવી લેવો અને તેમની માન્યતાઓને કચડી નાખવી એ અસ્વીકાર્ય છે. ખાસ કરીને જ્યારે આપણે સંભલ વિશે સત્ય જાણીએ છીએ.

Reporter: admin

Related Post