News Portal...

Breaking News :

આયુર્વેદિક ઉપચાર : સોજો - મૂઢમારના ઈલાજ

2025-05-17 12:19:23
આયુર્વેદિક ઉપચાર : સોજો - મૂઢમારના ઈલાજ


- કડવા લીમડાના પાન બાફીને, સાધારણ ગરમ હોય ત્યારે સોજા પર બાંધવાથી સોજા ઉતરે છે.
- લવિંગ વાટીને તેનો લેપ સોજા પર ચોપડવાથી સોજા ઉતરે છે.
- રાઈ અમે સંચર વાટીને લેપ કરવાથી સોજા ઉતરે છે.
- હળદર અને મીઠાંનો લેપ કરવાથી વાગેલા કે મચકોડથી આવેલા સોજા મટે છે.
- તલ અને મૂળા ખાવાથી સોજા ઉતરે છે.
- તાંડલજાના પાનનો લેપ કરવાથી સોજા મટે છે.
- ધાણાને જવના લેપ કરવાથી સોજા ઉતરે છે.
- અમલીના પાન અને સિંધવ મીઠુ વાટી તેનો લેપ કરવાથી સોજા ઉતરે છે.
- મીઠુ લસોટી ચોપડવાથી સોજા ઉતરે છે.
- જાયફળને સરસિયાના તેલમાં મેળવીને સાંધાઓના સોજા પર લેપ કરવાથી જકડાયેલા સોજા ઉતરે છે.

Reporter: admin

Related Post