News Portal...

Breaking News :

આયુર્વેદિક ઉપચાર : સોજા - મૂઢમારના ઉપચાર

2024-12-20 11:12:23
આયુર્વેદિક ઉપચાર : સોજા - મૂઢમારના ઉપચાર


- હળદર અમે કળીચુનાનો લેપ કરવાથી મૂઢમારનો સોજો ઉતરે છે.
- હળદર અને મીઠાનો લેપ કરવાથી લાગેલો કે મચકોડથી આવેલો સોજો મટે છે.
- તલ અને મૂળા ખાવાથી સોજો મટે છે.
- કડવા લીમડાના પાન બાફીને સાધારણ ગરમ હોય ત્યારે સોજા પર બાંધવાથી સોજો ઉતરે છે.
- તુલસીના પાનને પીસીને સોજા પર લગાડવાથી સોજા ઉતરે છે.
- સિંગોડાની છાલ ઘસીને લેપ કરવાથી સોજો અને દુખાવો મટે છે.
- ધાણાને જવના લોટ સાથે મેળવી તેનો લેપ કરવાથી સોજો મટે છે.
- મીઠુ લસોટીને ચોપડવાથી સોજો ઉતરી જાય છે.

Reporter: admin

Related Post