News Portal...

Breaking News :

આયુર્વેદિક ઉપચાર : એલર્જીથી થતી શરદીના ઉપાય,એલર્જીથી થતી શરદી માટે સંભવિત કારણો-તકલીફ

2024-11-28 11:04:49
આયુર્વેદિક ઉપચાર : એલર્જીથી થતી શરદીના ઉપાય,એલર્જીથી થતી શરદી માટે સંભવિત કારણો-તકલીફ


શરદી થવાનું વિશેષ કારણ તો શરીરની નબળાઈ છે. આયુર્વેદાનુસાર શરીરને નુકશાનકર્તા જીવાણું-વિષાણુ, બહારના તત્વ સામે પ્રતિકાર કરવાનું બળ પ્રાકૃતકફ, ઓજમાંથી મળે છે. 


કારણવિશિષ્ટતાને પરિણામે જ્યારે પ્રાકૃતકફ (કફ તત્વ)નું રક્ષણાત્મક કામ યોગ્ય રીતે ન થાય ત્યારે ધૂળ, પોલન, ધૂમાડો, વાસ-સુગંધ, જીવાણું, અતિશય ઠંડી-ગરમ-લુખ્ખી હવા, રૂવાંટી-વાળ શ્વાસ દ્વારા નાકની અંત:ત્વચાના સંપર્કમાં આવવાથી ખંજવાળ, ખૂબ છીંકો આવવી, નાકમાંથી પાણી પડવું, આંખમાં આંસુ-ખંજવાળ આવવી, વારંવાર છીંકો ખાવાથી ગળામાં-માથામાં દુખાવો થવો, અશક્તિ, આળસ જેવી તકલીફ થાય છે. જેના ઉપાય જરૂરી છે.કફ તત્વ વધુ મજબૂત બને તે બાબતને અનુલક્ષીને પૌષ્ટિક, તાજું, ગરમ ભોજન, તરલ પદાર્થો, ગાયનું ઘી, સૂંઠ-અજમો-હીંગ-મરી-મેથી-લસણ-આદું, જેવા પાચનક્રિયામાં મદદ કરે તેવા પદાર્થોથી બનેલું ખાવું. ભોજન નિયમિત સમયે, નિયમિત અંતરે ખાવું જોઈએ. 


દહીં, મલાઈ, ઠંડા પીણા, ફ્રોઝન ફૂડ્સ ન ખાવા.કફતત્વની કાર્યક્ષમતા યોગ્ય રીતે જળવાય રહે તે માટે સૂંઠ, આદું, અરડૂસી, હળદર, તુલસી જેવા કુદરતી દ્રવ્યો નિયમિત ધોરણે ઘરગથ્થુ ઉપચાર માટે અપનાવવા.આદુંનો રસ, તુલસીનો રસ ૧-૧ ચમચી ભેળવી, તેમાં ૧ ચમચી હળદરનું ચૂર્ણ ઉમેરી સવારના નાસ્તા સમયે લઇ શકાય.ત્રિકટુ ચૂર્ણ અને યષ્ટી મધુ ચૂર્ણ સરખાભાગે ભેળવી જમ્યા પછી મધમાં ચાટવાથી ફાયદો થાય છે.ગાયના ઘી અથવા ષડબિંદુ તેલનું નિયમિત નસ્ય કરવાથી વધુ પડતી છીંકો આવવામાં આરામ મળે છે.૧ ચમચી આંબળાનું ચૂર્ણ નવશેકા પાણી અથવા મધ સાથે નિયમિત લેવું.એલર્જી  માટે જવાબદાર ધૂળ, ધૂમાડો, ઠંડી હવા જેવાં કારણોથી બચવા માટે પ્રયત્ન કરવો

Reporter: admin

Related Post