News Portal...

Breaking News :

ગુજરાતમાં અંધશ્રદ્ધા વિરોધી કાયદો લાગુ થશે, અલૌકિક શક્તિના નામે જાતીય શોષણ જેવી પ્રવૃત્તિઓ ગુન

2024-08-18 10:07:58
ગુજરાતમાં અંધશ્રદ્ધા વિરોધી કાયદો લાગુ થશે, અલૌકિક શક્તિના નામે જાતીય શોષણ જેવી પ્રવૃત્તિઓ ગુન


ગાંધી નગર : ગુજરાત વિધાનસભાનું ત્રણ દિવસીય ચોમાસુ સત્ર આગામી 21થી 23 ઓગસ્ટ દરમિયાન યોજાવાનું છે. 


આ સત્રમાં સરકાર પાંચ મહત્વપૂર્ણ વિધેયકો રજૂ કરવાની છે, જેમાં સૌથી વધુ ચર્ચાસ્પદ અંધશ્રદ્ધા વિરોધી કાયદો છે. ગુજરાત માનવ બલિદાન અને બીજી અમાનુષી, અનિષ્ટ અને અઘોરી પ્રથા અને કાળા જાદુ અટકાવવા તેનું નિર્મૂલન કરવા બાબત વિધેયક 2024" નામના આ વિધેયકમાં અંધશ્રદ્ધા ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહીની જોગવાઈ છે. 




આ કાયદા હેઠળ, કહેવાતા ચમત્કારોનો પ્રચાર, ભૂત પ્રેત ભગાડવાના નામે શારીરિક પીડા આપવી, અનિષ્ટ શક્તિઓનો દાવો કરવો, અને અલૌકિક શક્તિના નામે જાતીય શોષણ જેવી પ્રવૃત્તિઓ ગુનો ગણાશે.સૂત્રોના જણાવ્યા અનુસાર, આ કાયદા હેઠળ દોષિતોને 6 મહિનાથી 7 વર્ષ સુધીની જેલની સજા અને રૂ. 5 હજારથી 50 હજાર સુધીનો દંડ થઈ શકે છે. જોકે, ધાર્મિક વિધિઓ અને પરંપરાઓને આ કાયદાથી મુક્તિ આપવામાં આવી છે.

Reporter: admin

Related Post