News Portal...

Breaking News :

જીએસએફસી યુનિવર્સિટી દ્વારા 76 માં ગણતંત્ર દિવસની ઉજવણી

2025-01-27 16:52:46
જીએસએફસી યુનિવર્સિટી દ્વારા 76 માં ગણતંત્ર દિવસની ઉજવણી


જીએસએફસી યુનિવર્સિટી દ્વારા 76 માં ગણતંત્ર દિવસની ખૂબ જ ઉત્સાહ અને દેશભક્તિ સાથે ઉજવણી કરવામાં આવી. 


સમારોહનો પ્રારંભ યુનિવર્સીટીના પ્રમુખ પી. કે. તનેજાઆઈએએસ (રીટાયર્ડ.) દ્વારા આંગનવા એમ્ફી થીએટર ખાતે ધ્વજ ફરકાવી કરવામાં આવ્યો. ત્યારબાદ તેમનના પ્રેરણાદાયી પ્રવચનમાં તેમણે ભારત દેશ આજે "સ્વર્ણિમ ભારત: વિરાસત અને વિકાસ" થીમ ઉપર ગણતંત્ર દિવસની ઉજવણી કરી રહ્યું છે ત્યારે ભારત દ્વારા આર્થિક અને ટેકનોલોજીકલ ક્ષેત્રે વૈશ્વિક સ્તરે કરવામાં આવેલ નોંધપાત્ર પ્રગતિને બિરદાવી હતી. તેમણે યુનિવર્સીટી દ્વારા એડમિશન. સંશોધન તથા માળખાકીય સવલતો જેવા ક્ષેત્રોમાં થયેશ સીમાચિન્હ રૂપ પ્રગતિ વિષે માહિતી આપી હતી. તેમણે સમગ્ર યુનિવર્સિટી સમુદાયનેખાસ કરીને વિદ્યાર્થીઓને સંવિધાનિક મૂલ્યોનું પાલન કરવા અને ટકાઉ અને સર્વસમાવિષ્ટ વિકાસ માટે યોગદાન આપવાની અપીલ કરી હતી.


આ પ્રસંગે "સાયન્સ વ્યૂ" મેગેઝીનનું પ્રકાશન અને વિવિધ ક્ષેત્રોમાં વિજેતાઓને શ્રેષ્ઠતા માટે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉજવણી ના અંત માં યુનિવર્સિટીના વિધાર્થીઓ દ્વારા ઉત્સાહ અને એકતા દર્શાવી કલ્ચરલ પ્રોગ્રામ રજુ કરવામાં આવ્યો હતો.આ અવસરે વાઈસ ચાન્સેલેર પ્રોફેસર જી.આર.સિન્હા,રજીસ્ટાર પ્રણબ સરકાર,ડેપ્યુટી ડિરેક્ટર  મહેશ બારોટ,સીઈઓ ગીટાર કાઉન્સિલ બી.બી.ભાયાણીતેમજ ડીનવિવિધ વિભાગોના વડાઓ,કર્મચારીઓ અને વિદ્યાર્થીઓની મહત્વપૂર્ણ ઉપસ્થિતિ રહ્યા હતા .

Reporter: admin

Related Post