વડોદરા સહિત સમગ્ર ગુજરાતમાં આજથી દશામાના દસ દિવસીય પવિત્ર વ્રતનો ભક્તિભાવપૂર્વક પ્રારંભ થયો છે. અષાઢ વદ અમાસ એટલે કે દિવાસાના પાવન પર્વથી શરૂ થતા આ વ્રતને લઈને શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

વડોદરાના બજારોમાં દશામાની મૂર્તિઓ ખરીદવા માટે શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી હતી. ભક્તોએ શાસ્ત્રોક્ત વિધિ-વિધાન મુજબ ઘેર-ઘેર માટીની મૂર્તિ અથવા સાંઢણીની સ્થાપના કરી હતી. સ્થાપના બાદ માતાજી સમક્ષ અખંડ દીપ પ્રગટાવવામાં આવ્યો હતો, જે આગામી દસ દિવસ સુધી સતત પ્રજ્વલિત રહેશે. શ્રદ્ધાળુઓએ માતાજીનો શણગાર કરી પૂજા-અર્ચના કરી સુખ, શાંતિ અને સમૃદ્ધિની પ્રાર્થના કરી હતી.

Reporter: admin







