વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ MSME ક્ષેત્રને મુક્ત વેપાર કરારો (FTA)થી ઊભી થયેલી વૈશ્વિક તકોનો લાભ ઉઠાવી ભારતીય ઉત્પાદનોને વિશ્વના બજારો સુધી પહોંચાડવા આહ્વાન કર્યું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટે લાલ કિલ્લાની પ્રાચી પરથી દેશના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSME)ને વૈશ્વિક બજારમાં વિસ્તરણની મોટી તકનો લાભ ઉઠાવવા આહ્વાન કર્યું. તેમણે જણાવ્યું કે ભારતે 2014થી અત્યાર સુધીમાં આશરે 40 દેશો સાથે મુક્ત વેપાર કરારો (FTA)ને અંતિમ સ્વરૂપ આપ્યું છે. આ કરારોના કારણે ભારતીય નાના ઉદ્યોગો માટે નવા આંતરરાષ્ટ્રીય બજારો ખુલ્યા છે.
PM મોદીએ કહ્યું કે કાપડ, મશીનરી, દવાઓ સહિત ભારતીય ઉત્પાદનોને વૈશ્વિક બજારમાં મજબૂત સ્થાન અપાવવાની જરૂર છે. આ માટે ભારતીય ઉદ્યોગોએ આંતરરાષ્ટ્રીય ગુણવત્તા અને વૈશ્વિક ધોરણો પર ખરા ઉતરવું પડશે.
ભારતે UAE, મોરિશિયસ, ઓસ્ટ્રેલિયા, બ્રિટન, EFTA સમૂહ અને ઓમાન સાથે વેપાર કરારો કર્યા છે. યુરોપિયન યુનિયન અને ન્યૂઝીલેન્ડ સાથેના કરારોને પણ અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે.
MSME ક્ષેત્ર ભારતની અર્થવ્યવસ્થામાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે. દેશના મેન્યુફેક્ચરિંગમાં તેનો હિસ્સો આશરે 35.4 ટકા, નિકાસમાં 48.58 ટકા અને GDPમાં 31.1 ટકા છે. આ ક્ષેત્રમાં 7.47 કરોડથી વધુ ઉદ્યોગો છે, જે 32.82 કરોડથી વધુ લોકોને રોજગાર આપે છે.
PM મોદીના આહ્વાનનો મુખ્ય ઉદ્દેશ નાના ઉદ્યોગોને ‘લોકલથી ગ્લોબલ’ બનાવી નિકાસ, રોજગાર અને રોકાણને વેગ આપવાનો છે.
Reporter: admin







