News Portal...

Breaking News :

ગુજરાત સરકાર દ્વારા ફ્યૂઅલ સરચાર્જમાં 40 પૈસાનો ઘટાડો

2024-12-24 14:24:13
ગુજરાત સરકાર દ્વારા ફ્યૂઅલ સરચાર્જમાં 40 પૈસાનો ઘટાડો


ગાંધીનગર : 'સુશાસન દિવસ' નિમિત્તે ગુજરાત સરકાર દ્વારા ફ્યૂઅલ સરચાર્જમાં 40 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે. 


ઓકટોબર 2024થી ડિસેમ્બર 2024માં વસૂલાત પાત્ર ફ્યુઅલ સરચાર્જમાં ઘટાડો બીજો સુધારો ના થાય ત્યાં સુધી ચાલુ રહેશે તેમ, આજે ઊર્જા મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું.ઊર્જા મંત્રીએ કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, રાજ્ય સરકારના આ નિર્ણયને પરિણામે રાજ્યના અંદાજે 1.75 કરોડ ગ્રાહકોને ઓક્ટોબરથી ડિસેમ્બર 2024 દરમિયાન કરેલા વીજ વપરાશ ઉપર આશરે રૂ.1120 કરોડનો લાભ થશે. ગુજરાત વીજ નિયમન આયોગ દ્વારા મંજૂર કરાયેલા ફ્યૂઅલ સરચાર્જની ફોર્મ્યુલા મુજબ એપ્રિલ-2024થી સપ્ટેમ્બર 2024ના સંબંધિત ત્રિમાસિક સમયગાળા દરમિયાન વીજ બળતણના ભાવોમાં થયેલા ફેરફાર મુજબ રાજ્ય હસ્તકની વીજ વિતરણ કંપની દ્વારા ગ્રાહકો પાસેથી રૂ. 2.85 પ્રતિ યુનિટનો ફ્યૂઅલ સરચાર્જ (FPPPA)ની વસૂલાત કરવામાં આવતી હતી. 


ઓકટોબર-2024થી ડિસેમ્બર 2024ના પ્રવર્તમાન ત્રિમાસિક સમયગાળા દરમિયાન પણ રૂ. 2.85 પ્રતિ યુનિટના દરે ફ્યૂઅલ સરચાર્જ (FPPPA)ની વસૂલાત કરાય છે.રાજ્ય સરકાર હસ્તકની વીજ વિતરણ કંપનીઓએ ચાલુ વર્ષ દરમિયાન અસરકારક રીતે ફ્યૂઅલ સરચાર્જનો દર જાળવી રાખ્યો છે. વધુમાં, ચાલુ નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન યોગ્ય અને કાર્યક્ષમ વીજ ખરીદના સંચાલન અને સ્થિર વીજ ખરીદના દરને ધ્યાને લઇ, રાજ્ય સરકાર દ્વારા ગ્રાહકોના વિશાળ હિતમાં ફ્યૂઅલ સરચાર્જના દરમાં પ્રતિ યુનિટ 40 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે.જે મુજબ તા. 1/10/2024થી પ્રવર્તમાન ત્રિમાસિક સમયગાળા દરમિયાન કરેલા વીજ વપરાશ ઉપર ગ્રાહકોને પ્રતિ યુનિટ 40 પૈસાનો લાભ થશે.

Reporter: admin

Related Post