રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવી દિલ્હીમાં આયોજિત ‘સૌશ્રુતમ 2026’ આયુર્વેદ સંમેલનનું ઉદ્ઘાટન કર્યું હતું. આ રાષ્ટ્રીય સ્તરના સંમેલનમાં આયુર્વેદ ક્ષેત્રના નિષ્ણાતો, સંશોધકો, વૈજ્ઞાનિકો, તબીબો તેમજ દેશ-વિદેશના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે આયુર્વેદ ભારતની પ્રાચીન અને સમૃદ્ધ આરોગ્ય પરંપરા છે, જે આજે સમગ્ર વિશ્વમાં સ્વાસ્થ્ય અને સુખાકારી માટે વિશ્વસનીય વિકલ્પ તરીકે ઉભરી રહી છે. તેમણે આયુર્વેદમાં વૈજ્ઞાનિક સંશોધન, નવીનતા અને વૈશ્વિક સ્વીકૃતિ વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
Reporter: admin







