ભરૂચ: અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે 48 પર અકસ્માત થયો છે.
આમલાખાડી બ્રિજ પર ST બસ અને ખાનગી બસ વચ્ચે અકસ્માત થયો. ખાનગી બસ પલટી મારતાં 8 થી 10 મુસાફર ઈજાગ્રસ્ત થયા છે. સત્વરે મદદે આવેલા સ્થાનિકોએ ઈજાગ્રસ્તોને બસમાંથી બહાર કાઢ્યા.
108 મારફતે ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. અકસ્માતને પગલે નેશનલ હાઈવે પર ટ્રાફિક જામ થયો હતો.
Reporter: admin