News Portal...

Breaking News :

અસમ રાઇફલ્સ અને ઉગ્રવાદીઓ વચ્ચે ભીષણ અથડામણમાં 10 ઉગ્રવાદીઓ ઠાર

2025-05-15 09:54:27
અસમ રાઇફલ્સ અને ઉગ્રવાદીઓ વચ્ચે ભીષણ અથડામણમાં 10 ઉગ્રવાદીઓ ઠાર


ચંદેલ: મણિપુરના ચંદેલ જિલ્લામાં બુધવારે (14 મે) અસમ રાઇફલ્સ અને ઉગ્રવાદીઓ વચ્ચે ભીષણ અથડામણ થઈ હતી, જેમાં ઓછામાં ઓછા 10 ઉગ્રવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતાં. 


આ ઓપરેશન હજુ શરૂ છે. સેનાના અધિકારીઓએ એ વાતની પુષ્ટિ કરી છે કે, મ્યાનમાર સરહદથી જોડાયેલા ન્યૂ સમતાલ ગામ પાસે શંકાસ્પદ સશસ્ત્ર ઉગ્રવાદીઓની ગતિવિધિની જાણકારી બાદ આ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.ભારતીય સેનાના ઈસ્ટર્ન કમાન્ડના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જાણકારી આપતા જણાવવામાં આવ્યું કે, 14 મેના દિવસે અસમ રાઇફલ્સના એક યુનિટે સ્પીયર કૉર્પ્સ હેઠળ ન્યૂ સમતાલ ગામ, ખેંગજૉય તહસીલમાં આ ઓપરેશન લૉન્ચ કર્યું હતું. આ વિસ્તાર ભારત-મ્યાનમાર આંતરરાષ્ટ્રીય સરહદની નજીક છે, જે અવાર-નવાર ઉગ્રવાદી ગતિવિધિઓનું કેન્દ્ર રહ્યું છે.

Reporter: admin

Related Post