સૂરજ પંચોલી તેની પહેલી બાયોપિકમાં વીર હામીરજી ગોહિલ ની ઐતિહાસિક ભૂમિકાને જીવંત કરવા જઈ રહ્યા છે. સુનીલ શેટ્ટી, વિવેક ઓબેરોય અને સૂરજ પંચોલી અભિનીત ‘કેસરી વીર: લેજેન્ડ્સ ઓફ સોમનાથનું ટીઝર ગઇકાલે રિલીઝ થયું. આ ફિલ્મ દ્વારા નવોદિત અભિનેત્રી આકાશા શર્મા ડેબ્યૂ કરી રહી છે.
સોમનાથ મંદિરની રક્ષા માટે બહાદુરીપૂર્વક લડનાર 14મી સદીના યોદ્ધા ની ભૂમિકામાં ખુદને ઢાળવા માટે સૂરજ પંચોલીએ જબરદસ્ત શારીરિક પરિવર્તન કર્યું. તેમણે નિષ્ણાતોની દેખરેખ હેઠળ તીરંદાજી, તલવારબાજી અને સહનશક્તિની કઠોર ટ્રેનિંગ લીધી. શારીરિક અને માનસિક મર્યાદાઓની બહાર ટ્રેનિંગ તેમની તૈયારી વિશે વાત કરતાં સૂરજ પંચોલી કહે છે, "આ ભૂમિકાએ મને મારી મર્યાદાઓથી આગળ ધકેલી દીધો. મને તાકાત, ઝડપ અને સહનશક્તિ વિકસાવવી પડી, જે તત્કાલીન યુગના યોદ્ધાઓમાં હોતી. તલવારબાજી સૌથી મોટી ચેલેન્જ હતી, કારણ કે હું વિવિધ યુદ્ધપ્રણાલીઓ શીખીને હામીરજી ગોહિલની લડતની શૈલીનું પ્રામાણિક પ્રતિનિધિત્વ કરવા માગતો હતો. આ આખી યાત્રા અત્યંત સંતોષજનક રહી. "તેમણે વધુમાં જણાવ્યું કે સશક્ત યોદ્ધા બનવા માટે મહિનાઓ સુધી તીરસંધાન, તલવારબાજી અને શારીરિક સહનશક્તિનું કઠોર શિસ્તબદ્ધ પ્રશિક્ષણ લીધું. યુદ્ધ નિષ્ણાતો સાથે ઘોડસવારી અને હાથની લડત જેવી પ્રાચીન યુદ્ધકલા પણ શીખી. કઠોર ફિટનેસ રૂટિન અને યુદ્ધકલામાં પ્રભુત્વ આ ભૂમિકાની તૈયારી માટે સૂરજ પંચોલીએ એક કઠોર ફિટનેસ રજીમ અપનાવ્યું, જેમાં તાકાત અને ઝડપ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું. તીરંદાજીમાં ચોકસાઈ, નિયંત્રણ અને શ્વાસતંત્ર ખૂબ જ મહત્વપૂર્ણ છે.
મેં યોગ્ય સ્થિતિ અને નિશાનને તીક્ષ્ણ બનાવવા માટે અઠવાડિયાઓ સુધી અભ્યાસ કર્યો. દરરોજ ટાર્ગેટની અંતરદૂરી વધારીને પ્રેક્ટિસ કરી જેથી એ મને સહજ અનુભૂતિ થાય. તલવારબાજી માટે અમે પ્રથમ લાકડાની તલવારોથી તંત્ર શીખ્યું, ત્યારબાદ અસલ હથિયારો સાથે યુદ્ધ અભ્યાસ કર્યો. મેં હમલા, સંરક્ષણ અને સમન્વયિત યુદ્ધપ્રણાલીઓ શીખી. આ ઉપરાંત, યુદ્ધ દ્રશ્યો દરમિયાન વધુ સમય સુધી ઉર્જાવાન રહેવા માટે વજન તાલીમ અને પ્રતિકાર વ્યાયામ કર્યા."સ્વપ્ન ભૂમિકાને લઈ આનંદિત સૂરજ સૂરજ માટે આ ફિલ્મ તેમના કરિયરના મહત્વના તબક્કાઓમાંથી એક છે*"વીર હામીરજી ગોહિલની ભૂમિકા નિભાવવી મારા માટે મહાન જવાબદારી છે, અને હું તેમની વારસાને ન્યાય આપવા માટે સંપૂર્ણ પ્રયત્ન કરી રહ્યો છું. મેં અત્યાર સુધી કોઈ પણ ભૂમિકાને એટલી ઊંડાણપૂર્વક અનુભવી નહોતી. હામીરજી ગોહિલની શૌર્ય અને બલિદાનની વાર્તા લોકો સુધી પહોંચાડવા માટે હું સંપૂર્ણ સમર્પિત છું પ્રિન્સ ધીમાનના દિગ્દર્શન અને ચૌહાણ સ્ટૂડિયોઝના કનહુ ચૌહાણના નિર્માણ હેઠળ બનાવાયેલ આ ફિલ્મ ભવ્ય સેટ્સ અને ઐતિહાસિક મહેલો સાથે વિઝ્યુઅલી ધમાકેદાર અનુભવ આપવાનું વચન આપે છે. કેસરી વીર: લેજેન્ડ્સ ઓફ સોમનાથ’ ભારતભરમાં **વિવિધ ભાષાઓમાં રિલીઝ થશે અને 14 માર્ચ 2025ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે
Reporter: admin