જયપુર: રાજસ્થાનના સર્જાયેલા એક ગમખ્વાર માર્ગ અકસ્માતમાં 8 લોકોના મૃત્યુના અહેવાલો મળી રહ્યા છે. મળી રહેલ વિગતો અનુસાર ટાયર ફાટવાથી બસે કાબુ ગુમાવ્યો અને એક કારને ટક્કર મારી હતી. આ અકસ્માતની ઘટનામાં 14 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલો છે. દુર્ઘટનામાં 8 લોકોના મૃત્યુ થયા છે. અહેવાલો મળી રહ્યા છે કે કારમાં સવાર તમામ લોકો મહાકુંભમાં જઈ રહ્યા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર બસ જયપુરથી અજમેર જઈ રહી હતી. ઇકો કાર અજમેરથી જયપુર તરફ આવી રહી હતી. લોકોએ જણાવ્યું કે આ દરમિયાન બસનું ટાયર ફાટ્યું અને બસ નિયંત્રણ બહાર જતી રહી હતી. બસ કાબુ બહાર જતા તે ડિવાઈડર ઓળંગીને સામેની બાજુથી આવતી ઈકો કાર સાથે અથડાઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે ઇકો કારને ખૂબ જ નુકસાન થયું છે. અકસ્માતની ઘટનામાં કારમાં સવાર તમામ લોકોના મોત થયા હોવાના અહેવાલો છે.
સ્થાનિક લોકોએ જણાવ્યું કે અકસ્માતની ઘટના બાદ કાર એટલી ખરાબ રીતે ફસાઈ ગઈ હતી કે બચાવ કામગિરી કરવા માટે પોલીસે ક્રેન બોલાવવી પડી હતી. ત્યારબાદ ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ 8 લોકોને મૃત જાહેર કર્યા હતા. જ્યારે 14 જેટલા લોકોની હાલત ગંભીર છે, હાલ તેની સારવાર ચાલી રહી છે.
Reporter: admin