News Portal...

Breaking News :

આયુર્વેદિક ઉપચાર : કમરના દુખાવોના ઉપાય

2025-01-10 12:37:39
આયુર્વેદિક ઉપચાર : કમરના દુખાવોના ઉપાય


- આદુના રસમાં થોડુ મીઠુ નાખી તેની માલિશ કરવાથી સઁધીવાનો દુખાવો મટે છે.
- જાયફળને સરસિયાના તેલમાં ઘસી માલિશ કરવાથી સાંધા છુટા પડે છે અને દુખાવો મટે છે.
- દસ ગ્રામ ધાણા અને ત્રણ ગ્રામ સૂંઠ લઇ તેને વાટી ઉકાળો બનાવી તેમાં મધ નાખી પીવાથી દુખાવો અને છાતીનો દુખાવો મટે છે.
- સૂંઠ, લસણ અને અજમો રાઈના તેલમાં ગરમ કરી તેની માલિશ કરવાથી કમરનો દુખાવો મટે છે.
- ખજૂરની પાંચ પેસીની ઉકાળો કરી તેમાં અડધો તોલો મેથી નાખી પીવાથી કમરનો દુખાવો મટે છે.
- સૂંઠ, હિંગને તેલમાં ગરમ કરી માલિશ કરવાથી કમરનો દુખાવો મટે છે.
- સૂંઠનું ચૂર્ણ ગરમ પાણી સાથે ફાકી જવાથી કમરનો દુખાવો મટે છે.
- સૂંઠ અને ગોખરુ સરખા ભાગે લઇ તેનો ઉકાળો કરી રોજ સવારે પીવાથી કમરનો દુખાવો મટે છે.
- અજમો અને ગોળ સરખા ભાગે લઇ સવાર - સાંજ ખાવાથી કમરનો દુખાવો મટે છે.

Reporter: admin

Related Post