News Portal...

Breaking News :

રવિવારે એર ઈન્ડિયાની ફ્લાઈટનું બેંગલુરુમાં ઈમરજન્સી લેન્ડિંગ

2025-01-06 16:11:39
રવિવારે એર ઈન્ડિયાની ફ્લાઈટનું બેંગલુરુમાં ઈમરજન્સી લેન્ડિંગ

બેંગુલુરું : ગઈકાલે 5 જાન્યુઆરી રવિવારેના રોજ ટેકનિકલ સમસ્યાને કારણે એર ઈન્ડિયાની એક ફ્લાઈટનું એક એન્જીન અધવચ્ચે બંધ થઈ જતાં દિલ્હી જતી એર ઈન્ડિયાની ફ્લાઈટનું બેંગલુરુમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું, એમ સૂત્રોએ  જણાવ્યું હતું.  



આ ઘટનામાં કોઈ ઈજા થઈ નથી. "ફ્લાઇટ (A320)નું એક એન્જીન બંધ થઈ ગયું હતું, જેના કારણે વિમાનને ઈમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. ફ્લાઈટ સંપૂર્ણ કટોકટીની સ્થિતિમાં લેન્ડ થઈ હતી. બોર્ડ પરના તમામ મુસાફરો સુરક્ષિત છે," એક સૂત્રએ  જણાવ્યું હતું.સૂત્રોએ જણાવ્યું કે એર ઈન્ડિયાની ફ્લાઈટ 2820 સાંજે 5.45 વાગ્યે બેંગલુરુ જવાની હતી પરંતુ કેમ્પેગૌડા ઈન્ટરનેશનલ એરપોર્ટ (KIA) પરથી સાંજે 7.09 વાગ્યે ઉપડી.  જો કે તે હવામાં ચક્કર લગાવીને રાત્રે 8:11 વાગ્યે બેંગલુરુ પરત ફર્યું હતું.ઓનબોર્ડ એક મુસાફરે કહ્યું, x


"ગભરાટના એક કલાક પછી, ફ્લાઈટ બેંગલુરુ એરપોર્ટ પર સુરક્ષિત રીતે પાછી આવી. સુરક્ષિત ઉતરાણ સુનિશ્ચિત કરવા બદલ કેપ્ટનનો આભાર. સુરક્ષા સ્ટાફ હાઈ એલર્ટ પર હતો."આખરે ફ્લાઇટ લગભગ 11.47 વાગ્યે KIAથી નીકળી હતી અને 6 જાન્યુઆરીએ સવારે 2.02 વાગ્યે દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ થઈ હતી.એર ઈન્ડિયાના A320 Neo પ્લેન CFM LEAP એન્જિન દ્વારા સંચાલિત છે.  અન્ય એરલાઇન્સ દ્વારા A320 નિયો એરક્રાફ્ટમાં ઉપયોગમાં લેવાતા પ્રેટ એન્ડ વ્હિટની (PW) એન્જિનથી વિપરીત, CFM LEAP એન્જિનને નોંધપાત્ર તકનીકી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો નથી.

Reporter: admin

Related Post