News Portal...

Breaking News :

રાંચી એરપોર્ટ પર 56 મુસાફરો માંડ-માંડ બચ્યા: ઇન્ડિગો વિમાનનો પાછળનો ભાગ જમીન સાથે અથડાયો; ટેકનિકલ ખામીના લીધે હાર્ડ લેન્ડિંગ કર્યું

2025-12-13 12:15:37
રાંચી એરપોર્ટ પર 56 મુસાફરો માંડ-માંડ બચ્યા: ઇન્ડિગો વિમાનનો પાછળનો ભાગ જમીન સાથે અથડાયો; ટેકનિકલ ખામીના લીધે હાર્ડ લેન્ડિંગ કર્યું


રાંચી:  બિરસા મુંડા એરપોર્ટ પર શુક્રવારે રાત્રે ઇન્ડિગો એરલાઇન્સના વિમાનના હાર્ડ લેન્ડિંગ દરમિયાન મોટો અકસ્માત થતા-થતા રહી ગયો. 


ભુવનેશ્વરથી રાંચી આવી રહેલા ઇન્ડિગોના વિમાન નંબર 6E-7361નો પાછળનો ભાગ રનવે સાથે અથડાયો.જેના કારણે વિમાનને નુકસાન થયું. વિમાનમાં કુલ 56 મુસાફરો સવાર હતા. બધા સુરક્ષિત છે. જોકે, ઘણા મુસાફરોને સામાન્ય ઈજાઓ થઈ હોવાનું સામે આવ્યું છે. અકસ્માત બાદ એરપોર્ટ પરિસરમાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ રહ્યો.જાણકારી અનુસાર વિમાને તેના નિર્ધારિત સમયે સાંજે 7:55 વાગ્યે ભુવનેશ્વરથી ઉડાન ભરી હતી અને રાત્રે 8:30 વાગ્યે રાંચી એરપોર્ટ પર ઉતરવાનું હતું. લેન્ડિંગ દરમિયાન ટેકનિકલ ખામી સર્જાઈ, જેના કારણે વિમાનનું હાર્ડ લેન્ડિંગ કરાવવું પડ્યું. 


આ દરમિયાન વિમાનનો પાછળનો ભાગ રનવે સાથે ઘસાઈ ગયો.આનાથી વિમાનને નુકસાન થયું. અચાનક જોરદાર આંચકાથી મુસાફરો બૂમાબૂમ કરવા લાગ્યા હતા. પરિસ્થિતિને સંભાળતા પાયલટે વિમાનને નિયંત્રિત કર્યું. ત્યારબાદ એપ્રન પર સુરક્ષિત રીતે રોકી દીધું.વિમાન રોકાયા પછી એક પછી એક તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા. મુસાફરોએ જણાવ્યું કે લેન્ડિંગ સમયે જોરદાર આંચકો લાગ્યો, જેનાથી ડરનો માહોલ સર્જાયો. કેટલાક મુસાફરોને સામાન્ય ઈજાઓ પણ થઈ.આ પછી વિમાનની ટેકનિકલ તપાસ શરૂ કરવામાં આવી. એન્જિનિયરોએ પ્રારંભિક તપાસમાં વિમાનને ઉડાન માટે અયોગ્ય ગણાવ્યું. રાંચી એરપોર્ટ પ્રશાસને સુરક્ષાને ધ્યાનમાં રાખીને વિમાનને ગ્રાઉન્ડેડ જાહેર કરી દીધું.અકસ્માત બાદ રાંચીથી ભુવનેશ્વર જતી ઇન્ડિગોની આગામી ફ્લાઇટ પ્રભાવિત થઈ. મુસાફરોનું કહેવું હતું કે તેમને મોડી રાત સુધી એરપોર્ટ પર રાહ જોવડાવવામાં આવી.

Reporter: admin

Related Post