ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ (NHAI)એ દેશભરના રાષ્ટ્રીય રાજમાર્ગોના ટોલ પ્લાઝા પર વિશ્વસ્તરીય જાહેર શૌચાલયોની સુવિધા વિકસાવવા માટે દેશવ્યાપી પહેલ શરૂ કરી છે. આ પહેલનો મુખ્ય હેતુ હાઇવે પર મુસાફરી કરતા લોકો માટે સ્વચ્છ, સુરક્ષિત અને આધુનિક શૌચાલયની સુવિધા ઉપલબ્ધ કરાવવાનો છે.
NHAIના જણાવ્યા અનુસાર, આ યોજના હેઠળ ટોલ પ્લાઝા પર સ્વચ્છતા સુવિધાઓને વધુ સક્ષમ બનાવવા માટે પરફોર્મન્સ આધારિત કોન્ટ્રાક્ટ સિસ્ટમ અમલમાં મુકવામાં આવશે. તેના દ્વારા શૌચાલયોની નિયમિત જાળવણી અને સેવા ગુણવત્તા સુનિશ્ચિત કરવામાં આવશે.
યોજનાના ભાગરૂપે હાલના શૌચાલયોનું આધુનિકીકરણ કરવામાં આવશે તેમજ જરૂરિયાત મુજબ નવા જાહેર શૌચાલય પણ બનાવવામાં આવશે. આ માટે એકસમાન ગુણવત્તા ધોરણો નક્કી કરીને તેનો અમલ કરવામાં આવશે.
Reporter: admin







