મ્યાનમારમાંથી નીકળેલા 500થી વધુ રોહિંગ્યા શરણાર્થીઓ બંગાળની ખાડીમાં લાપતા થયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. સંયુક્ત રાષ્ટ્રની બે એજન્સીઓ—આંતરરાષ્ટ્રીય સ્થળાંતર સંગઠન (IOM) અને સંયુક્ત રાષ્ટ્ર શરણાર્થી એજન્સી (UNHCR)—એ સંયુક્ત નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે ખરાબ હવામાનના કારણે મ્યાનમારના દરિયાકાંઠા નજીક બે બોટ ડૂબી ગઈ હતી.
એજન્સીઓના જણાવ્યા મુજબ, બંને બોટ જૂન મહિનાના અંતિમ સપ્તાહમાં મ્યાનમારના પશ્ચિમ ભાગમાં આવેલા રખાઇન રાજ્યમાંથી રવાના થઈ હતી. પ્રથમ બોટમાં આશરે 250 લોકો સવાર હતા. બોટ રવાના થયાના થોડા જ સમય બાદ તે લાપતા થઈ ગઈ હતી અને ત્યારથી તેનો કોઈ સંપર્ક થઈ શક્યો નથી.
Reporter: admin







